ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગોપાલચોક પાસે મોબાઈલ પર પત્ની સાથે ઝઘડો થતાં ચોકીદારનો આપઘાત

04:17 PM Mar 19, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

સાધુવાસવાણી રોડ બાલમુકુંદ સોસાયટીમાં રહેતા ચોકીદારને તેમનાપત્ની સાથે મોબાઈલ પર વાતચીત બાદ ઝઘડો થતાં લાગી આવ્યું હતું જેમાં તેમણે નિરાશ થઈ ગળેફાંસો ખાઈ આપગાત કરી લીધો હતો. આ અંગે યુનિવર્સિટી પોલીસના સ્ટાફે કાગળો કર્યા હતાં.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, સાધુવાસવાણી રોડ પર બાલમુકુંદ સોસાયટીમાં રહેતા મનોજભાઈ બાબુભાઈ રાજપર ઉ.વ.25)એ ગઈકાલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેમને 108ના ઈએનટીના નરેશભાઈએ જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતાં. આ ઘટના બાદ તેમના મૃતદેહને પોસ્ટમોટર્મ માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.

મનોજ મુળ યુપીનો વતની અને ચારભાઈમાં નાનો અને અહીંં કલરકામ કરતો હતો તેમના પત્નીનું નામ કુતુબબેન છે તેમના પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતા ગઈકાલે મનોજ ફોન ન ઉપાડતા તેમના ભાઈએ શાપરમાં રહેતા મિત્રને તેમના ઘરે જઈ તપાસ કરવાનું કહેતા તે ત્યાં મનોજના ઘરે પહોંચ્યો હતો જ્યાં મનોજ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. મનોજને ગઈકાલે ફોન પર પત્ની સાથે ઝઘડોથતાં આ પગલું ભરી લીધું હતું.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Next Article
Advertisement