રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજ્યપાલનું રાજકોટ હીરાસર એરપોર્ટ ખાતે ઉષ્માસભર સ્વાગત

12:28 PM Feb 10, 2024 IST | Bhumika
Advertisement

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને તેમના ધર્મપત્ની દર્શના દેવી મોરબીના ટંકારા ખાતે યોજાનાર મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતીની ઉજવણીના કાર્યક્રમોમાં સહભાગી થવા અમદાવાદથી રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલને પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.

Advertisement

આ તકે કલેકટર પ્રભવ જોશી, પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, ઈન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર પુજા યાદવ (ઝોન-1) સહિતના અધિકારીઓએ રાજ્યપાલનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતુ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ત્યારબાદ મોરબી જિલ્લાના ટંકારા ખાતે આયોજીત સ્વામી દયાનંદ સરસ્વતીની આર્યસમાજની સ્થાપનાના 200 વર્ષ પૂર્ણ થવાના ભાગરૂપે આયોજીત કાર્યક્રમ ખુલ્લો મુકશે.

Tags :
gujaratgujarat newsrajkotRajkot Hirasar Airportrajkot news
Advertisement
Next Article
Advertisement