For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શહેરમાં આત્મહત્યાના બે બનાવમાં બે યુવાનોએ જીવનલીલા સંકેલી

12:08 PM Aug 22, 2024 IST | Bhumika
શહેરમાં આત્મહત્યાના બે બનાવમાં બે યુવાનોએ જીવનલીલા સંકેલી
Advertisement

જામનગર શહેરમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેવાના બે કિસ્સા બન્યા છે. શહેરના નાગરપરા વિસ્તારમાં રહેતા એક એસટી કંડકટરના 23 વર્ષના પુત્ર એ બીમાર પડ્યા પછી માનસિક વિકૃતિ આવી જતાં ગળાફાંસો ખાઈ લઇ આપઘાત કરી લીધો છે, જ્યારે જામનગરમાં ગોકુલ નગર પાણાખાણ માં રહેતા પ્રાંતિય યુવાને અગમ્ય કારણસર આપઘાત કરી લીધો છે. જામનગરમાં નાગરપરા શેરી નંબર -2 માં રહેતા અને કંડકટર તરીકે નોકરી કરતા જાદવજીભાઈ અમૃતલાલ પંચમતીયા નામના 23 વર્ષીય પુત્ર ઉમંગ જાદવજીભાઈ પંચમતીયાએ ગઈકાલે પોતાના ઘેર બારીમાં દુપટ્ટો બાંધી ગળા ફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો.

આ બનાવ અંગે જાદવજીભાઈ અમૃતલાલ પંચમતીયાએ પોલીસને જાણ કરતાં સિટી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.ડી. ગાંભવા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી, પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

પોલીસમાં જાહેર કરાયા અનુસાર છેલ્લા આઠ દિવસથી બીમાર રહેતો હતો અને બેચેન રહેતો હતો દરમિયાન માનસિક વિકૃતિ આવી જતાં તેણે આપઘાત કરી લીધો હોવાનું પોલીસને જણાવ્યું છે. આપઘાત નો બીજો કિસ્સો ગોકુલ નગર નજીક પાણીખાણ શેરી નંબર -2 માં બન્યો હતો. ત્યાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના વતની શ્રીકૃષ્ણ સાધુભાઈ કુશવાહા નામના 46 વર્ષના યુવાને રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે. આ બનાવ અંગે મૃતકની પુત્રી બસંતી દેવી કૃષ્ણભાઈ કુશવાહા એ પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝન ના એએસઆઈ ડી.જે. જોષી એ મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement