For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બાખડતા બે આખલા લગ્નપ્રસંગમાં ત્રાટક્યા, 15 જાનૈયાને અડફેટે લીધા

12:22 PM Mar 13, 2024 IST | Bhumika
બાખડતા બે આખલા લગ્નપ્રસંગમાં ત્રાટક્યા  15 જાનૈયાને અડફેટે લીધા

લખતર બસ સ્ટેન્ડ વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં અચાનક બે આખલા બાખડતા અનેક લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતાં. લગ્ન પ્રસંગમાં દોડધામ મચી જવા પામી હતી. લખતર શહેરી વિસ્તાર સહિત આસપાસના ગામોમાં રખડતા ઢોરોના ત્રાસથી વાહનચાલકો સહિત રહિશોને હાલાકી પડી રહી છે. શહેરના બસ સ્ટેન્ડ, યોગીરાજ હોટલ, શિયાણી દરવાજા સહિતના વિસ્તારોમાં રખડતા ઢોરો અડીંગો જમાવીને બેઠા હોવાથી વાહનચાલકો અને રાહદારીઓ અવાર-નવાર અકસ્માતનો ભોગ બનતા હોય છે.

Advertisement

શહેરના મફતીયા પરા વિસ્તારમાં મનજીભાઈ સોલંકીના ઘેર લગ્ન પ્રસંગ હોય વિરમગામના કાજીપુરા ગામેથી જાન આવી હતી અને લગ્નની વીધી ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક બે આખલાઓ બાખડી પડતા જાનૈયાઓમાં દોડધામ-મચી જવા પામી હતી. જેમાં 15થી વધુ જાનૈયાઓને આખલાઓએ અડફેટે લેતા ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખાનગી તેમજ સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે અને અગાઉ અનેક વખત રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement