ગીરસોમનાથ જિલ્લાના બે પોલીસ કર્મચારી ગુનાહિત કૃત્ય કરતા ડીસમીસ
જિલ્લા પોલીસ અધિક્ષકે નોકરીમાંથી રૂખસદ કર્યાની નોટિસ પાઠવી
ગીર સોમનાથ જીલ્લા મા ફરજ દરમ્યાન ગુન્હાહિત કૃત્ય તથા ગેરશિસ્ત આચરવા બદલ જીલ્લાના બે પોલીસ કર્મચારીઓને ફરજમાંથી કાયમી રૂૂખસદ (ડીસમીસ) કરવા નોટીસ જીલ્લા પોલીસ અધિક્ષક દ્રારા આપેલ છે.
ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા દ્વારા જીલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિકારી/કર્મચારીઓએ તેઓની ઇમાનદારી અને ખંતપુર્વક બજાવેલ ફરજ બદલ તેઓને વખતો વખત પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવે છે.
તેમજ ફરજમાં નિષ્કાળજી, ગેરશિસ્ત તથા ફરજ દરમ્યાન ગુન્હાહિત કૃત્ય કરતા પોલીસ અધિકારી/કર્મચારીઓ વિરૂૂધ્ધ સખ્ત કાર્યવાહી તેમજ આકરા પગલા પણ લેવામાં આવે છે જેમાં (1) કરશનભાઇ લાખાભાઇ રાઠોડ, આ.એ.એસ.આઇ.બ.નં.111, પો.હેડ કવા., ગીર સોમનાથ તથા (2) બીપીનગીરી વાલમગીરી ગૌસ્વામી પો.કોન્સ. બ.નં. 317, ઉના પો.સ્ટે. (હાલ પોલીસ હેડ કવાર્ટર વડોદરા ગ્રામ્ય) નામવાળા પોલીસ કર્મચારીઓએ પોતાની ફરજ દરમ્યાન ઉપરી અધિકારીની પરવાનગી લીધા વગર કે જાણ કર્યા સિવાય મનસ્વી રીતે હેડ ક્વાર્ટર છોડેલ તેમજ સુત્રાપાડા પો.સ્ટે દાખલ થયેલ પ્રોહિબિશન ગુના નં.151/2023 ના કામે તપાસ કરતા આ ગુન્હામાં તેઓની સંડોવણી સાબિત થયેલ જેમાં તેઓએ ગેરકાયદેસર વગર પાસ પરમિટે દારૂૂના જથ્થાની હેરાફેરી કરી અંગત સ્વાર્થ માટે દારૂૂનું વેચાણ કરી પોલીસ દળને લાંછનરૂૂપ તથા બદનામી થાય તેવું ગંભીર પ્રકારનું ગુન્હાહિત કૃત્ય અને ગેરશિસ્ત આચરેલ જે બાબતે ખાતાકિય તપાસ કરવામાં આવેલ જે ખાતાકીય તપાસના અંતે ઉપરોકત બંને પોલીસ કર્મચારીઓએ ગંભીર પ્રકારનું ગુન્હાહિત કૃત્ય તથા ગેરશિસ્ત આચરેલાનું પ્રથમ દ્રષ્ટિએ પુરવાર થતા ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂંક) નિયમો-1971 ના નિયમ-3(1) ના ખંડ(2) નો ભંગ કરી ફરજમાં ગંભીર પ્રકારની બેદરકારી અને નિષ્કાળજી દાખવવા બદલ નોકરીમાંથી રૂૂખસદ (ડીસમીસ) કરવા પોલીસ અધિક્ષક ગીર સોમનાથ નાઓ તરફથી નોટીસ આપવામાં આવેલ છે.
