‘અમારી શેરીમાંંથી બાઈક લઈ કેમ નીકળ્યો’ કહી સગીરને બે શખ્સોએ છરીના ઘા ઝીંક્યા
ચુનારાવાડમાં ધુળેટીની રાત્રે અમારી શેરીમાંથી બાઈક લઈ કેમ નિકળ્યો કહી સગીરને બે શખ્સોએ છરીના ઘા ઝીંકી હુમલો કર્યો હતો. આ અંગે પોલીેસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ ચુનારાવાડ-4માં રહેતા હંસાબેન રણજિતભાઈ ધાંધલ નામની મહિલાએ બાજુની શેરીમાં રહેતા નીલુ અને સાહિલ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ગત તા.25ની રાતે પુત્ર પ્રતાપ બાઇક લઇને ચુનારાવાડ- રૂૂમાંથી નીકળ્યો ત્યારે શેરીના નાકે નીલુ અને સાહિલ ઊભા હોય બંનેએ પુત્રને અટકાવ્યો હતો અને તું શેરીમાંથી બાઇક લઇને કેમ નીકળે છે કહી બંનેએ ગાળો ભાંડી હતી.
ત્યાર બાદ સાહિલે છરીથી હુમલો કરી હાથમાં ઘા ઝીંકી દીધો હતો. બંનેએ માર માર્યા બાદ રોડ પર પટકાયેલા પુત્રના વાળ પકડી માથું ફૂટપાથ સાથે ભટકાડી ઇજા પહોંચાડી હતી. બંને શખ્સના વધુ મારથી બચવા પુત્ર લોહીલુહાણ હાલતમાં ત્યાંથી ભાગીને ઘર પાસે આવ્યો હતો. પુત્રને હોસ્પિટલ ખસેડયો હતો. હુમલો થયા અંગે અજાણી વ્યક્તિ ઘરે આવી પોતાને જાણ કરી હતી. જેથી પોતે હોસ્પિટલ જઇ પુત્ર પાસેથી બનાવની વિગત મેળવી હતી. બે દિવસ પુત્ર સારવારમાં રહ્યાં બાદ નીલ, સાહિલ સામે ફરિયાદ નોંધાવી છે.
ધૂળેટીની રાત્રે બનેલા બનાવ અંગે ઈજાગ્રસ્ત સગીરના માતાએ થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલો કરનાર બન્ને આરોપી સામે મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બન્ને આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.