For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટના બે કોન્ટ્રાકટર ભાગીદારોએ જામનગરમાં એક સાથે ઝેરી દવા પી લીધી

04:04 PM Jul 29, 2024 IST | admin
રાજકોટના બે કોન્ટ્રાકટર ભાગીદારોએ જામનગરમાં એક સાથે ઝેરી દવા પી લીધી

કારમાં દવા પી લેતા ગંભીર હાલત, કારણ અંગે રહસ્ય

Advertisement

જામનગરમાં આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી છે.જેમાં શહેરના શરૂૂ સેક્શન રોડ પર આવેલ સરલા આવાસ ભવન નજીક વ્યવસાયમાં ભાગીદાર 2 મિત્રોએ કારમાં એક સાથે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે જાણ થતા તાત્કાલિક સારવાર માટે જામનગરની જી જી હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યાં બનેની ઈમરજન્સી વોર્ડમાં સારવાર ચાલી રહી છે.

આ અંગેની પ્રાથમિક વિગત એવી છે કે, મૂળ જામનગરના અને હાલ રાજકોટમાં રહેતાં અશોક ભાઈ ભીખાભાઈ ધોકિયા (ઉમર 50) અને પરબતભાઈ કાનાભાઈ ગોજીયા (ઉમર 55 રહે. જામનગર રણજીત નગર હાલ રાજકોટ,) નામના બન્ને મિત્રોએ આજે ઝેરી દવા પી મોત મીઠું કરવાનો પ્રયાસ કર્યો હતો. 80 ફૂટ રોડ નજીક સરલાબેન ત્રિવેદીભવન પાસે કારમાં જ બન્ને મિત્રોએ આ પગલું ભરી લીધું હતું.

Advertisement

બાદમાં બનેના પરિવારજનોને ટેલિફોનીક જાણ કરતા બન્નેને તાત્કાલિક સારવાર માટે જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. હાલ બન્ને મિત્રોની હાલત ગંભીર હોવાથી ઇમરજન્સી વોર્ડમાં તેમની સારવાર ચાલી રહી છે.
બન્ને મિત્રો ખેતી અને ક્ધટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેઓ લગભગ પાંચથી સાત વર્ષથી રાજકોટ સ્થાયી થયા હોવાની પ્રાથમિક વિગત બહાર આવી છે.
જો કે આ પગલું કયા કારણોસર ભર્યું તે અંગે હજુ કોઈ સત્તાવાર કારણ બહાર આવ્યું નથી જેથી પોલીસ આ દિશામાં કાર્યવાહી કરી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement