કોંગ્રેસના બે કોર્પોરેટરોને અટકાવાતા બબાલ
- સાગઠિયા અને કોમલબેને સેક્રેટરી વિરુદ્ધ કરી ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટની ફરિયાદ
રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસપક્ષમાંથી ચુંટાયેલા ચાર પૈકી બે કોર્પોરેટરોને પક્ષાંતરધારા હેઠળ ગેરલાયક ઠેરવ્યા બાદ કોર્ટે બન્નેને ફરીસભ્યપદ પર કાયમી રહેવાનો હુકમ કર્યો હતો જેના કારણે આજના જનરલ બોર્ડમાં બન્ને કોર્પોરેટરોએ પ્રવેશ કરતા તેમને અટકાવવામાં આવતા સિક્યોરીટી સાથે બબાલ થઈ હતી અને આ મુદ્દે કોર્પોરેટર વશરામભાઈ સાગઠિયાએ કોર્ટના હુકમનો અનાદર કરવા બદલ સેક્રેટરી વિરુદ્ધ ક્ધટેમ્ટ ઓફ કોર્ટની ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં પ્રશ્ર્નોતરી દરમિયાન કોંગ્રેસના બે કોર્પોરેટરોને પ્રશ્ર્નો પુછવા દેવામાં આવેલ પરંતુ તાજેતરમાં ગેરલાયકમાંથી લાયક ઠરેલા કોંગી કોર્પોરેટર વશરામભાઈ સાગઠિયા અને કોમલબેન ભારાઈને પ્ર્રશ્ર્નતરી કરતા રોકવામાં આવેલ તેમજ જનરલ બોર્ડમાં પ્રવેશ નહીં મળે તેમ સેક્રેટરી વિભાગમાંથી જણાવવામાં આવેલ. છતાં વશરામભાઈ સાગઠિયાએ કોર્ટના હુકમના આધારીત બોર્ડમાં પ્રવેશ તો મેળવશુ જ તેવી ચેલેન્જ ફેંકી હતી અને આજરોજ જનરલબોર્ડના સમયે કોર્ટના પરિપત્ર સાથે મનપાની કચેરી હાજર થતાં તેઓને તેમજ કોમલબેન ભારાઈને બોર્ડમાં પ્રવેશતા અટકાવવામાં આવેલ ત્યારે વશરામભાઈએ કોર્ટનો હુકમ સેક્રેટરીને બતાવી છતાં સેક્રેટરીએ અમને પરીપત્ર મળ્યો નથી તેવું બહાનું આગળ ધરી તેમને પ્રવેશ નહીં મળે તેવો આદેશ આપતા મામલો બિચક્યો હતો છતાં વશરામભાઈ અને કોમલબેન ભારાઈએ પોલીસની માથાકુટથી બચવા ત્યાંથી ચાલતી પકડી હતી પરંતુ જતી વખતે તેમણે જણાવેલ કે, કોર્ટ દ્વારા અમને માન્યતા આપવામાં આવી છે. એન કોર્ટનો ઓર્ડર પણ સાથે લઈને આવ્યો છું. છતાં સેક્રેટરી દદ્વાર કોર્ટનો ઓર્ડર જોયા વગર ફક્ત રાજકીય દાવપેચ ખેલી અમને જનરલ બોર્ડમાં જતાં અટકાવવામાં આવ્યા છે. આથી હવે અમે હવે સેક્રેટરી વિરુદ્ધ ક્ધટેમ્ટ ઓફ કોર્ટની ફરિયાદ કરશું તેમ જણાવ્યું હતું.