For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હિરજી મિસ્ત્રી રોડ પર વેપારીના મકાનમાંથી અઢી લાખની ચોરી

01:13 PM Sep 16, 2024 IST | admin
હિરજી મિસ્ત્રી રોડ પર વેપારીના મકાનમાંથી અઢી લાખની ચોરી

સીટી સી ડિવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ

Advertisement

જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પર રહેતા એક વેપારીના બંધ રહેણાંક મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને અંદરથી રૂૂપિયા અઢી લાખની રોકડ રકમની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર એકતા એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં એક નંબરના બ્લોકમાં રહેતા અનિલભાઈ ગુરૂૂમુખદાસ દામા નામના 44 વર્ષના સિંધી ભાનુશાળી વેપારીએ ગત 13 મી તારીખે રાત્રે થી 24 કલાકના સમયગાળા દરમિયાન પોતાના બંધ મકાનમાંથી કોઈ તસ્કરો રૂૂપિયા અઢી લાખ ની રોકડ રકમની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

Advertisement

કોઈ તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યા પછી અંદર પ્રવેશ મેળવી લઇ કબાટમાં રાખેલી રકમ ઉઠાવી ગયા હતા. જે અંગે વેપારીએ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ એચ. એ. પીપળીયા બનાવના સ્થળે દોડી ગયા છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement