રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઉનામાં રિક્ષા અને બે બાઇક વચ્ચે ટ્રિપલ અકસ્માત: પાંચ લોકો ઘવાયા

11:55 AM Sep 14, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ઉના દેલવાડા રોડ પર રાત્રીના સમયે એક રિક્ષા અને બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ જેટલા વ્યક્તિઓને અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચી હતી. આ અકસ્માતમાં પિતા-પુત્ર અને એક મહિલા સહિત પાંચ ઇજાગ્રસ્તોને ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

ઉના દેલવાડા રોડ પર આવેલ નાગનાથ મંદિર પાસે રીક્ષા તેમજ બે બાઇક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો. જેમાં બાઈક પર સવાર અશ્વિન સોમા સોલંકી ઉ. વ.40 તથા રાજકુમાર અશ્વિન સોલંકી ઉ.વ.10 રહે. જાફરાબાદ તેમજ રિક્ષામાં બેઠેલા અંજલીબેમ નાનજી બારીયા રહે. નવાબંદર સહિત પાંચ વ્યક્તિઓને હાથ પગ અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જાતા રસ્તા પર વાહનો ટ્રાફિક સર્જાઈ હતી અને ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ઉના તેમજ દેલવાડાની બે - બે 108 એમ્બ્યુલન્સના જગદીશભાઈ મકવાણા, શાહરૂૂખભાઇ, નરેશભાઈ તેમજ ભરતભાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

આ તમામ ઈજગ્રસ્તોને સારવાર અર્થે પ્રથમ ઉના સરકારી હોસ્પિટલે તેમજ અન્ય ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જોકે આ અકસ્માતમા બાઈક પર જાફરાબાદના પિતા પુત્ર ને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં રીફર કરેલ હોવાનું જાણવા મળેલ છે.

Tags :
gujaratgujarat newsRickshawTriple accidentUna news
Advertisement
Next Article
Advertisement