For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઓખામાં અજાણ્યા વાહનની અડફેટે માછીમાર યુવાનનું કરુણ મોત

11:32 AM Jul 31, 2024 IST | Bhumika
ઓખામાં અજાણ્યા વાહનની અડફેટે માછીમાર યુવાનનું કરુણ મોત
Advertisement

નવસારી તાલુકાના આશા ફળિયું વિસ્તારના મૂળ રહીશ અને હાલ ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં શિવાંજલી બોટ ખાતે રહેતા શૈલેષભાઈ નારણભાઈ ટંડેલ નામના માછીમાર યુવાન સોમવારે સાંજના સમયે ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં ટાટા પ્લોટ રોડ પરથી જઈ રહ્યા હતા. ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા એક અજાણ્યા વાહનના ચાલકે તેમને અડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં શૈલેષભાઈ ટંડેલનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને નાસી છૂટ્યો હોવાનું વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ઓખા મરીન પોલીસે યશ્વી જેરાભાઈ ટંડેલ (ઉ.વ. 31, મૂળ રહે. નવસારી)ની ફરિયાદ પરથી અજાણ્યા વાહન ચાલક સામે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ઓખાના પી.એસ.આઈ. આર.આર. ઝરૂ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement