For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાળિયાદ નજીક કારે બાઈકને ઠોકરે લેતા શિક્ષકનું કરુણ મોત

12:06 PM Sep 16, 2024 IST | admin
પાળિયાદ નજીક કારે બાઈકને ઠોકરે લેતા શિક્ષકનું કરુણ મોત

પાળિયાદ નજીક કારે બાઈકને ઠોકરે લેતા શિક્ષકનું કરુણ મોતમૃતકના પિતાની ફરિયાદ પરથી નોંધાતો ગુનો

Advertisement

બોટાદના નવા પ્લોટ ભાદ્વાવડી ગામે રહેતા અનેગઢીયા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા યુવાન મોટરસાયકલ લઈને સ્કુલેથી ફરજ બજાવી પરત પોતાના ઘરે આવતા હતા.ત્યારે પાળીયાદ નજીક કારે અડફેટે લેતાં શિક્ષકનું સ્થળ પરજ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર બોટાદના નવા પ્લોટ ભદ્વાવડી વિસ્તારમાં રહેતાં ઘનશ્યામભાઇ રામજીભાઈ કાનેટીયાનો પુત્ર અને ગઢીયા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કિરણભાઈ ઘનશ્યામભાઈ કાનેટીયા (ઉ.વ.40) પોતાનું મોટરસાયકલ નં. જીજે 01 યુજી 0853 નું લઇને ગઢીયા ગામ ખાતેથી સ્કુલેથી ઘરે ભદ્રાવડી પરત આવતો હતો.

તે દરમ્યાન સાંકરડી રાજઅતિથી હોટલથી પાળીયાદ તરફ આશરે દોઢેક કિમીટર આગળ રોડ ઉપર પહોંચતા પાછળથી કાર નં.જીજે. 13, સીસી,0939 ના ચાલકે પોતાની કાર પુરપાટ ઝડપે અને ગફલત ભરી અને માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી પાછળથી કિરણભાઈની મોટરસાયકલ સાથે અથડાવી કિરણભાઈને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી તથા શરીરે નાની મોટી ઈજાઓ પહોંચતા કિરણભાઈનું સાથળ પરજ મોત નિપજાવી સ્થળ ઉપર કાર મૂકી નાસી છૂટયો હોવાની ફરિયાદ મૃતકના પિતા ઘનશ્યામભાઈએ કાર ચાલક વિરૂૂધ્ધ પાળીયાદ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement