રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખંઢેરા ગામે નવ વર્ષના બાળકનું ડૂબી જવાથી કરુણ મોત

12:44 PM Oct 08, 2024 IST | admin
Advertisement

ફુલઝર નદીમાં નહાતી વેળા ઊંડા પાણીમાં ગરકાવ થયો

Advertisement

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં રહેતા અને અભ્યાસ કરતા નવ વર્ષના એક બાળકનું ફુલઝર નદીમાં નહાવા માટે પડતાં ડૂબી જવાથી કરૂૂણ મૃત્યુ નીપજયું છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ મહીસાગરના વતની અને હાલ કાલાવડ તાલુકા ના ખંઢેરા ગામમાં રહેતા ખેડૂત વિજયભાઈ નારણભાઈ સંઘાણીની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા અરવિંદભાઈ અખમભાઈ ડામોર નામના આદિવાસી ખેત મજુર નો નવ વર્ષનો પુત્ર યુવરાજ કે જે ગઈકાલે બપોરે 12.00 વાગ્યાના અરસામાં ખંઢેરા ગામ પાસે આવેલી નદીમાં નાહવા માટે પડ્યો હતો.

જે દરમિયાન એકાએક ઊંડા પાણીમાં ઘરકાવ થઈ જતાં ડૂબી જવાના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક ના પિતા અરવિંદભાઈ ડામોરે પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
deathgujaratgujarat newsnine-year-old child due to drowning
Advertisement
Next Article
Advertisement