For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કરુણાંતિકા: ચા પીવા નીકળેલા આધેડને કારચાલકે ઉલાળતાં મોત

12:28 PM Sep 14, 2024 IST | Bhumika
કરુણાંતિકા  ચા પીવા નીકળેલા આધેડને કારચાલકે ઉલાળતાં મોત
Advertisement

વાંકાનેરમાં બનેલો બનાવ: અકસ્માત સર્જી નાસી છુટેલા ડ્રાઇવરની શોધખોળ

વાંકાનેરના રાતી દેવડી ગામે રહેતા વાંકાનેરમાં ચાલીને ચા પીવા જતા હતા. ત્યારે અજાણ્યા કાર ચાલકે રાહદારી આધેડને હડફેટે લેતા મોત નીપજ્યું હતું. આધેડના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરના રાતી દેવડી ગામે રહેતા ધારાભાઈ લવજીભાઈ વિકાણી નામના 50 વર્ષના આધેડ વાંકાનેરમાં આવેલા માર્કેટ યાર્ડ પાસે ચાલીને જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા કાર ચાલકે રાહદારી આધેડને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો.

Advertisement

અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા આધેડને તાત્કાલિક સારવાર માટે વાંકાનેર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક ધારાભાઈ વિકાણી પાંચ ભાઈ એક બહેનમાં નાના હતા અને તેમને સંતાનમાં ત્રણ દીકરા છે ધારાભાઈ વિકાણી ચાલીને ચા પીવા જતા હતા ત્યારે કાર ચાલકે ઠોકરે ચડાવતા જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે વાંકાનેર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement