રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વારંવાર કોર્ટ મુદતથી થાકી ગયેલા યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત

03:44 PM Aug 14, 2024 IST | admin
Advertisement

ઉત્તરપ્રદેશમાં પ્રેમિકાના આપઘાત પ્રકરણમાં ગુનો નોંધાયો હોય કોર્ટમાં તારીખ પે તારીખથી ભાંગી પડયો

Advertisement

કોઠારીયા રોડ તીરૂપતી સોસાયટીમાં પરપ્રાંતીય યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઇ છે. યુવાનની પ્રેમીકાએ આપઘાત કરી લેતા તેમની ઉતરપ્રદેશની કોર્ટમાં તારીખ પડતી હતી જેથી કંટાળી પગલું ભરી લીધું હતું.

બનાવની મળતી વિગતો અનુસાર, તીરૂપતી સોસાયટીમાં રહેતા મુળ ઉતરપ્રદેશના અવનીશકુમાર દેવેન્દ્રભાઇ ચૌહાણ (ઉ.વ.24)એ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. અવનીશકુમાર કારખાનામાં મજુરી કામ કરતો હતો. એક વર્ષથી અહીં રહેતો હતો. તેમના પરિવારમાંથી જાણવા મળ્યું હતું કે પોતે એક વર્ષ પહેલા પોતે યુવતી સાથે પ્રેમસંબંધ હોય પરિવા એક નહીં થવા દે તેવું લાગતા બન્નેએ ઝેરી દવા પી લીધી હતી. જેમાં યુવતીનું મોત નિપજયું હતું. આ મામલે પોલીસ ફરીયાદ થતા અવનીશ જેલમાં હતો. ત્યાંથી જામીન પર છુટતા તેમની કોર્ટમાં મુદત પડતી હોય 15 દિવસ પહેલા યુપી કોર્ટમાં તારીખમાં ગયા બાદ રાજકોટ આવી ભાઇ અને બનેવી કારખાને ગયા હતા ત્યારે ગળેફાંસો ખાઇ લીધો હતો.

Tags :
deathgujaratgujarat newsrajkotrajkot newsrajkotpolicesuicide
Advertisement
Next Article
Advertisement