રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કુબલિયાપરામાં માનસિક બિમારીથી કંટાળી યુવાનનો ફાંસો ખાઇ આપઘાત

04:59 PM Sep 14, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

વાવડીમાં શ્રમિક યુવાને ઓરડીના એંગલમાં ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

શહેરના કુલબીયાપરા વિસ્તારમાં રહેતા યુવાને માનસિક બિમારીથી કંટાળી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જ્યારે વાવડીમાં શ્રમિક યુવાને અગમ્ય કારણસર ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું.

જાણવા મળતી વિગત મુજબ, કુબલીયાપરા શેરી નં.5 માં રહેતા વિનોદ નાનુભાઇ કોનપરીયા (ઉ.વ.40) નામના યુવાને આજે વહેલી સવારે પોતાના ઘરે લાકડાની આડીમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા થોરાળા પોલીસે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેને પીએમમાં ખસેડી તપાસ હાથ ધી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતક વિનોદભાઇ ચારભાઇ ત્રણ બહેનમાં મોટો અને ભંગારની ફેરી કરતા હતા. તેમને સંતાનમાં ચાર પુત્ર અને એખ પુત્રી છે. માનસિક બિમારીથી કંટાળી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.
જ્યારે બીજા બનાવમાં મુળ નેપાળના વતની અને હાલ વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં કારખાનામાં રહેતા દિવેશગીરી ઉમેશગીરી નેપાળી (ઉ.વ.24)એ પોતાની ઓરડીમાં એંગલ સાથે ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Next Article
Advertisement