રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

માનસિક બીમારીથી કંટાળીને સલાયાના યુવાન તેમજ સણોસરીના મહિલાનો આપઘાત

11:29 AM Mar 04, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા એજાજ હારુન ભાયા નામના 35 વર્ષના યુવાનને છેલ્લા પાંચેક વર્ષથી માનસિક બીમારી હોવાથી તેમની સારવાર જામનગરની હોસ્પિટલમાં ચાલી રહી હતી. આ વચ્ચે તેમણે આ બીમારીથી કંટાળીને શનિવારે દરિયામાં ઝંપલાવી દેતા તેમનું ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. આપઘાતના આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ અખ્તર હુસેન હારૂનભાઈ ભાયા દ્વારા સલાયા મરીન પોલીસને જાણ કરવામાં આવી છે.
કલ્યાણપુર તાલુકાના ગામે સણોસરી ગામે રહેતા પમીબેન ધાનાભાઈ લખમણભાઈ લગારીયા નામના 40 વર્ષના મહિલા છેલ્લા ત્રણેક વર્ષે માનસિક રીતે અસ્વસ્થ હોય, તેમની આ બીમારીથી કંટાળીને ગત તારીખ 13 ડિસેમ્બરના રોજ તેઓ પોતાના ઘરે એકલા હતા, ત્યારે પોતાના હાથે પોતાના શરીરે કપડા પર કેરોસીન છાંટી અને દીવાસળી ચાંપી લીધી હતી. આથી ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં પમીબેન લગારીયાને વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ ધાનાભાઈ લખમણભાઈ લગારીયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.

Tags :
gujaratgujarat newssuicide
Advertisement
Next Article
Advertisement