For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નવાગઢમાં મનાસિક બીમારીથી કંટાળી વૃદ્ધાનો જાત જલાવી આપઘાત

04:50 PM Oct 03, 2024 IST | Bhumika
નવાગઢમાં મનાસિક બીમારીથી કંટાળી વૃદ્ધાનો જાત જલાવી આપઘાત
Advertisement

જેતપુરના નવાગઢમાં રહેતા 90 વર્ષિય વૃધ્ધાએ માનસિક બિમારીથી કંટાળી જાત જલાવી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમનું એક સપ્તાહની સારવાર બાદ હોસ્પિટલના બીછાને મોત નિપજતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

જાણવા મળતી વિગત મુજબ, નવાગઢ રેલવે સ્ટેશન પાસે રહેતા સવિતાબેન સવજીભાઈ મોઢવાડિયા (ઉ.90) નામના વૃધ્ધાએ ગત તા.25-9નાં રોજ પોતાના ઘરે કેરોસીન છાંટી જાત જલાવી લીધી હતી. જેથી તેમને તાત્કાલીક સારવાર માટે પ્રથમ જેતપુર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. અહિં તેમનું એક સપ્તાહની સારવાર બાદ આજે સવારે મોત નિપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક વૃધ્ધાને સંતાનમાં ત્રણ પુત્ર અને ચાર પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.તેઓએ માનસિક બિમારીથી કંટાળી આ પગલું ભરી લીધાનું ખુલવા પામ્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement