For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શહેરમાં તિરંગા યાત્રા યોજાઈ: મેયર, સાંસદ, ધારાસભ્ય સહિતના જોડાયા

12:05 PM Aug 14, 2024 IST | admin
શહેરમાં તિરંગા યાત્રા યોજાઈ  મેયર  સાંસદ  ધારાસભ્ય સહિતના જોડાયા

નેવીના બેન્ડ સાથે નગરજનો તિરંગા યાત્રાાનાં રંગે રંગાયા

Advertisement

જામનગર માં આજે સાંજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં શહેર - જિલ્લા ના અધિકારીઓ પદાધિકારીઓ, વિશાળ સંખ્યા માં નગરજનો વગેરે જોડાયા હતા.

ભારત દેશ મા હાલ આઝાદી ના અમૃત મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે આવતીકાલે 15 મી ઓગસ્ટે હર ઘર તિરંગા અન્વયે જામનગર મા આજે સાંજે તળાવ ની પાળે થી તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.મેયર વિનોદ ખીમસુર્યા નાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ તિરંગા યાત્રા મા સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને રીવાબા જાડેજા , ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, ચેરમેન નિલેશ કગથરા, શાશક જૂથ નાં નેતા આશિષ જોષી, દંડક કેતન નાખવા, કલેકટર બી કે પંડ્યા, મ્યુનિ કમિશનર ડી એન મોદી, એસ પી પ્રેમસૂખ ડેલું, હોમગર્ડ્ઝ કમાન્ડન્ટ ગિરીશ સરવૈયા, ધોડેશ્વર પોલીસ, નેવી નાં બેન્ડ અને જવાનો,એન સી સીના જવાન, શાળા કોલેજ નાં વિદ્યાર્થીઓ, અનેક સંસ્થો નાં આગેવાનો નગરજનો બહોળી સંખ્યામાં મા હાથ માં તિરંગા સાથે જોડાયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement