For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબી, માળિયા મિંયાણા અને ટંકારામાં હાર્ટએટેક-પેટના દુ:ખાવાથી ત્રણ યુવાનના મોત

11:45 AM Aug 08, 2025 IST | Bhumika
મોરબી  માળિયા મિંયાણા અને ટંકારામાં હાર્ટએટેક પેટના દુ ખાવાથી ત્રણ યુવાનના મોત

મોરબી, માળિયા અને ટંકારા તાલુકામાં અપમૃત્યુના ત્રણ બનાવો બન્યા હતા જેમાં બે યુવાન સહીત ત્રણના મોત થયા છે ત્રણેય બનાવો મામલે પોલીસે તપાસ ચલાવી છે.

Advertisement

પ્રથમ બનાવમાં બેલા ગામ નજીક શંભુ ડેકોર પાસે અજાણ્યા પુરુષ આશરે 25 થી 30 વાળાએ રીક્ષામાંથી કુદકો મારી રોડ પર પડતા માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

બીજા બનાવમાં મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ માળિયાની અણીયારી ચોકડીએ લેમીટ પેપરમિલના લેબર ક્વાર્ટરમાં રહીને કામ કરતા સુનીલકુમાર લક્ષ્મીપ્રસાદ વિશ્વકર્મા (ઉ.વ.38) નામના યુવાનને પેટમાં દુખાવો ઉપડતા સારવાર માટે મોરબી ખસેડાયો હતો સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું માળિયા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

Advertisement

ત્રીજા બનાવમાં ટંકારા કલ્યાણપર રોડ પર દરગાહ પાસે રહેતા ફતેમાંમદ મુસાભાઈ જસરાયા પોતાના ઘરે ફળિયામાં ઉભા હતા ત્યારે હાર્ટ એટેક આવતા મોત થયું હતું ટંકારા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement