ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

શહેરમાં જુદા-જુદા ત્રણ સ્થળે ત્રણ પરિણીતાએ જ્વલનશીલ પ્રવાહી પીધું

05:37 PM Nov 20, 2025 IST | Bhumika
Advertisement

ભીમરાનગરમાં યુવકને એક શખ્સે ઇંટ મારી; સારવારમાં

Advertisement

શહેરમાં જુદા જુદા ત્રણ સ્થળે ત્રણ પરિણીતાએ જવલનશીલ પ્રવાહી પી લીધું હતું. ત્રણેય પરિણીતાની તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રામનાથપરા વિસ્તારમાં રહેતી રૂકશાનાબેન ઈમરાનભાઈ કારવા (ઉ.33) અને નવા ગામ આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતી પ્રિયંકાબેન જાડેજા (ઉ.28)એ રાત્રીના સમયે પોતપોતાના ઘરે ફિનાઈલ પી લીધું હતું.

જ્યારે કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલા પચ્ચીસવારીયામાં રહેતી કુંજનબેન રાજભાઈ ગમારા નામની 27 વર્ષની પરિણીતાએ પોતાના ઘરે હતી ત્યારે એસિડ પી લીધું હતું. જવલનશીલ પ્રવાહી પી લેનાર ત્રણેય પરિણીતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઉપરાંત બીજા બનાવમાં મોટામવા વિસ્તારમાં આવેલા ભીમનગરમાં રહેતાં ગોવિંદ સૂર્યવંશી નામના 28 વર્ષના યુવાન સાથે રાત્રીના સમયે પ્રકાશ નામના શખ્સે ઝઘડો કરી માથામાં ઈંટ મારી દીધી હતી. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Next Article
Advertisement