હું પણ આ રીતે ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો હતો: ત્રણ રાજ્યોના સુકાનીની પસંદગી વિષે બોલ્યા મોદી
લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે લોકોની પસંદ ભારતીય જનતા પાર્ટી છે. મોદીએ કહ્યું કે જનતા વચ્ચે આ વાત પર સહમતિ છે કે દેશને ગઠબંધન સરકારની જરૂૂર નથી, કારણ કે આવી સરકારના સમયમાં આશાને ઝટકો લાગ્યો અને દુનિયામાં ભારતની છબી ખરાબ થઇ. ભાજપ તરફથી ત્રણ રાજ્ય રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રીના રૂૂપમાં નવા ચહેરા સામે લાવવા પર તેમને નિવેદન આપ્યું હતું. પીએમ મોદીએ કહ્યું, આ એક લેટેસ્ટ પ્રવૃતિ જેવું લાગી શકે છે પરંતુ આ પાર્ટી માટે નવું નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તે ભાજપની અંદર આ પરંપરાનું સૌથી સારૂૂ ઉદાહરણ છે. મોદીએ કહ્યું કે, જ્યારે તે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તો તેમની પાસે કોઇ પૂર્વ વહીવટી અનુભવ નહતો અને તે વિધાનસભા માટે પણ ચૂંટાયા નહતા. મહત્ત્વપૂર્ણ છે કે નરેન્દ્ર મોદી વર્ષ 2001માં કેશુભાઇ પટેલ પછી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે આજે મોટાભાગની બીજી પાર્ટીઓ પરિવારવાદી પાર્ટીઓ છે અને તેમણે લોકતાંત્રિક મંથન કઠિન લાગે છે.