રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પતિ સાથે બોલાચાલી થતાં પત્નીએ જીવન ટૂંકાવ્યું

02:25 PM Oct 01, 2024 IST | admin
Advertisement

શહેના બાલાજી પાર્ક વિસ્તારની કરુણ ઘટના

Advertisement

જામનગરના બાલાજી પાર્કમાં રહેતી એક પરિણીતાને તેના પતિ સાથે બોલાચાલી થઈ હોય, જેનું મનમાં લાગી આવતાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. આ બનાવની પ્રાપ્ત વિગત એવી છે કે, જામનગરના બાલાજી પાર્ક3માં આવેલ એપાર્ટમેન્ટમાં રપ/ર માં રહેતાં શ્વેતાબેન અક્ષય સચાન નામની ર6 વર્ષીય પરિણીત મહિલાને તેમના પતિ અક્ષય સાથે કોઈપણ બાબતે બોલાચાલી થઈ હોય.

જેથી તેણીને મનમાં લાગી આવતાં ગઈકાલે પોતાને ઘેર દુપટા વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના પતિ અક્ષય મહેશકુમાર સચાને પોલીસને જાણ કરતાં સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટાફ હોસ્પિટલ દોડી જઈ, મૃતદેહનો કબ્જો સંભાળી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
deathgujaratgujarat newsjamanagarnewsjamanagr
Advertisement
Next Article
Advertisement