For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બર્ધન ચોકના વેપારીઓએ આક્રોશભેર બંધ પાડી જિલ્લા પોલીસવડાને આવેદન પાઠવ્યું

12:04 PM Jul 31, 2024 IST | admin
બર્ધન ચોકના વેપારીઓએ આક્રોશભેર બંધ પાડી જિલ્લા પોલીસવડાને આવેદન પાઠવ્યું

ભગવાન શ્રી ઝુલેલાલજીની પ્રતિમાને કલર કરીને ખંડન કરવાનું દુષકૃત્ય કરાયાનું સામે આવતાં ધાર્મિક લાગણી દુભાઈ

Advertisement

જામનગર ના બર્ધન ચોક, સિંધી માર્કેટ વિસ્તારમાં દેવી દેવતાઓ ની પ્રતિમાને નુકસાન પહોંચાડી સિંધી સમાજ ની લાગણી દુભાવવાના બનાવ સામે આજે વેપારીઓએ બંધ પાડીને જિલ્લા પોલીસવડા ને આક્રોશભેર આવેદનપત્ર પાઠવ્યું હતું. જામનગર શહેર બર્ધનચોક માં ભગવાન શ્રી ઝુલેલાલજી ની પ્રતિમા સહિત દેવી દેવતા ઓ ની પ્રતિમા ઓ પર કલર કરી ખંડન કરવા ની ચેષ્ટા કોઈ તત્વો દ્વારા કરવામાં આવી હતી. આથી સમાજ ની ધાર્મિક લાગણી દુભવ્યા ના વિરોધમાં સમગ્ર બર્ધનચોક માર્કેટ ના વેપારીઓ દ્વારા આજે બપોર પછી બંધ પાડી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી એ આવેદન પાઠવવા મા આવ્યું હતું. અને આ કૃત્ય કરનારને શોધી કાઢી ને તેની સામે કડક પગલાં ભરવા ની માંગણી કરવામાં આવી હતી. સિંધી કલોથ માર્કેટ એસોસિયેશન નાં સેક્રેટરી કિશોર સંતાણી ની આગેવાની મા આજ નો કાર્યક્રમ યોજાયો હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement