For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આજથી ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્રનો થશે પ્રારંભ, પાંચ બીલ કરવામાં આવશે રજુ

10:29 AM Aug 21, 2024 IST | Bhumika
આજથી ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્રનો થશે પ્રારંભ  પાંચ બીલ કરવામાં આવશે રજુ
Advertisement

આજથી ગુજરાત વિધાનસભાનું સત્ર ત્રણ દિવસીય ચોમાસું સત્ર ગાંધીનગરમાં શરૂ થશે. જે 23 ઓગસ્ટ સુધી ચાલશે. આ સત્ર દરમિયાન પાંચ બીલ રજુ કરવામાં આવશે. જોકે આ સત્રમાં પ્રશ્નોતરી બાદબાકી કરવામાં આવી છે જેના પગલે માત્ર સરકારી વિધેયક પર ચર્ચા જ થશે.

આ ચોમાસુ સત્રમાં ગુજરાત નશાબંધ સુધારા વિધેયક-2024, સૌરાષ્ટ્ર ગણોત અને ઘરખેડ સુધારા વિધેયક-2024, ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક-2024 અને ગુજરાત માનવ બલિદાન અને અધોરી પ્રથા-કાળા જાદુ અટકાવવા અને તેનુ નિર્મૂલન માટેના વિધેયકો રજૂ થશે. ચારેક સુધારા વિધેયકો છે પણ એક માત્ર અઘોરીપ્રથા-કાળા જાદુ અટકાવવાનું વિધેયક નવી બાબત છે.

Advertisement

આજે વિધાનસભા પરિસરમાં સ્પીકર શંકર ચૌધરીની અધ્યક્ષતામાં બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠક મળી હતી અને આ સત્રમાં થનારી કામગીરીને આખરી ઓપ આપવા ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન વિપક્ષ કોંગ્રેસે સત્રના ટૂંકા ગાળાને લઈને પ્રશ્નો ઉઠાવ્યા અને વિધાનસભા અધ્યક્ષને વિનંતી કરી કે લોકોના મુદ્દાઓ પર ચર્ચા થાય.

Advertisement
Tags :
Advertisement
Advertisement