રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શનિ-રવિ રજાના દિવસે વેરા વિભાગ શાખા ખુલ્લી રહેશે

06:04 PM Mar 08, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખામાં આગામી તા.09 માર્ચના રોજ શનિવારે અને 10 માર્ચ, 2024ના રોજ રવિવારે જાહેર રજાના દિવસે પણ કામગીરી ચાલુ રહેશે. નાગરિકો વેરો ભરપાઈ કરવા સહિતની ટેક્સ સંબંધિત અન્ય કામગીરી માટે ટેક્સ શાખાનો સંપર્ક કરી શકે છે.

Advertisement

ઉપરોક્ત વિષય અન્વયે વેરા-વસુલાત શાખા દ્વારા નાણાકીય વર્ષ 2023-24ની સઘન ટેક્સ રીકવરી ઝુંબેશ ચાલુ હોઇ, અરજદારોને વેરા-શાખાને લગત કામકાજમાં તથા વેરા ભરપાઇ કરવા સરળતા રહે તે હેતુથી, તા.09/03/2024 તથા તા.10/03/2024ના રોજ રજાઓના દિવસોમાં રીકવરી, એસેસમેન્ટ તથા વસુલાત સબંધિત કામગીરી માટે વેરા-વસુલાત શાખા ઝોન ઓફીસો, તમામ વોર્ડ ઓફીસો અને સિવિક સેન્ટરો ચાલુ રાખવા નાયબ મ્યુનિ. કમિશનરશ્રી દ્વારા હુકમ કરવામાં આવેલ છે, તેમ આસિસ્ટન્ટ મેનેજર, ટેક્સ શાખાની યાદીમાં જણાવાયું છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement