For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુંબઈ નોકરી કરવા જવાની માતાએ ના પાડતાં પુત્રએ ગળેફાંસો ખાઈ લીધો

05:03 PM Mar 08, 2024 IST | Bhumika
મુંબઈ નોકરી કરવા જવાની માતાએ ના પાડતાં પુત્રએ ગળેફાંસો ખાઈ લીધો
  • નાગેશ્ર્વર મંદિર પાસે બનાવ : માતાએ પુત્રને બચાવી હોસ્પિટલે ખસેડયો

શહેરના નાગેશ્ર્વર મંદિર પાસે પાર્શ્ર્વનાથ એપાર્ટમેન્ટમાં રહેતા યુવાન ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતાં માતાએ તેમને બચાવી તુરંત જ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. તેમને મુંબઈ નોકરી કરવા જવું હોય માતાએ ના પાડી દેતા આ પગલું ભરી લીધું હતું.

Advertisement

બનાવની વધુ વિગતો અનુસાર પાર્શ્ર્વનાથ એપાર્ટમેન્ટમાં રહેતા પાર્થ મનીષભાઈ જોષી (ઉ.24) નામના યુવાને પોતાના ઘરે પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લેતાં તેમને માતા જયોતીબેને બચાવી તુરંત જ સિવિલ હોસ્પિટલે ખસેડયો હતો. પાર્થે ધો.12 સુધી અભ્યાસ કર્યો છે. પોતે એકનો એક પુત્ર છે. તેમના પિતા ક્ધટ્રકશનનું કામ કરે છે. પરિવારે જણાવ્યું હતું કે, પાર્થને મુંબઈની ડીઓએસ કંપનીમાં નોકરી કરવા જવું હોય જેથી માતાએ ત્યાં જવાની ના પાડી દેતાં પાર્થે આ પગલું ભરી લીધું હતું. આ અંગે ગાંધીગ્રામ પોલીસે પણ હોસ્પિટલે પહોંચી પાર્થના પરિવારનું નિવેદન લીધુ હતું.

મુંબઈ મનપાના નિવૃત્ત કર્મચારીનું હાર્ટએટેકથી મોત
ઉપલેટાના લાઠ ગામે રહેતા અમૃતભાઈ લખાભાઈ રાઠોડ નામના 65 વર્ષના વૃધ્ધને હાર્ટએટેક આવતાં તેમને બેભાન હાલતમાં અહિની હોસ્પિટલે ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબે મૃતજોર કર્યા હતાં તેઓ મુંબઈ મહાનગરપાલિકામાં અગાઉ નોકરી કરતાં હાલ નિવૃત્ત જીવન ગાળે છે. તેઓ બેભાઈ બે બહેનમાં નાના હતાં અને તેમને સંતાનમાં બે દીકરી હોવાનું જાણવા મળે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement