ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ધ્રોલના બીજલકા ગામના સરપંચનો વાડીએ ઝેરી દવા પી લઇ આપઘાત

11:48 AM Jan 18, 2025 IST | Bhumika
Advertisement

કેન્સરની બીમારીથી પગલું ભર્યું: પરિવારમાં શોક

Advertisement

જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના બીજલકા ગામના સરપંચે આજે વહેલી સવારે પોતાની વાડીએ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. પોતાની બીમારી ના કારણે તેઓએ આ પગલું ભરી લીધા નું પોલીસમાં જાહેર થયું છે.આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના બીજલકા ગામના સરપંચ જયસુખભાઈ નરશીભાઈ મૂંગરા (ઉ.વ.47) એ આજે વહેલી સવારે પોતાની વાડીએ જંતુનાશક દવા પી લઈ આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે.

આ બનાવ અંગે મૃતક સરપંચના નાનાભાઈ ધીરજભાઈ નરશીભાઈએ પોલીસને જાણ કરતાં ધ્રોળના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.પી. વઘોર તેમની ટીમ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસમાંથી જાણવા મળ્યા અનુસાર મૃતકને તાજેતરમાં કેન્સરની બીમારી ડિટેકટ થઈ હતી. જેના કારણે તેઓએ આ પગલું ભરી લીધું હોવાનું જાહેર થયું છે. જે મામલે પોલીસ ઉંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે. આ બનાવને લઈને બીજલકા ગામમાં ભારે ચાર જાગી છે, અને મૃતક ના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Tags :
jamnagarjamnagar newsSUISIDEsuiside news
Advertisement
Next Article
Advertisement