For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરતની ટાબરિયા ગેંગનો 10 ગણેશ પંડાલો ઉપર હુમલો કરવાનો હતો પ્લાન

05:09 PM Sep 10, 2024 IST | Bhumika
સુરતની ટાબરિયા ગેંગનો 10 ગણેશ પંડાલો ઉપર હુમલો કરવાનો હતો પ્લાન
Advertisement

પોલીસ તપાસમાં નવો ખુલાસો, એક કિશોરે આખી ગેંગ બનાવી હતી

સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારાના મામલે તપાસ ચાલી રહી છે. ત્યારે પોલીસ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે પથ્થરમારામાં સંડોવાયેલા લોકો એક નહિ પરતું 10 ગણપતિ મંડપમાં પથ્થરમારો કરવાના હતા. છેલ્લા ત્રણ મહિનાથી કિશોરે આ માટે પોતાની અલગ એક ગેંગ બનાવી હતી.બે દિવસ પહેલા પણ ગણપતિના પંડાલ પર પથ્થર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો.

Advertisement

આ કિશોરને પથ્થરો મારવાનું કોણે શીખવાડયુ તે દિશામાં પોલીસ તપાસ ચાલી રહી છે અને જે મદરેસામાં જાય છે તેની પણ પોલીસે તપાસ શરૂૂ કરી છે.સૈયદપુરા વિસ્તારમાં રહેતા બે થી ત્રણ મુસ્લિમ આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા. પહેલા તો તે આગેવાનોએ પોતે જ આ કિશોરથી દુ:ખી હોવાનું કહ્યું હતું. તેનું કારણ એ હતું કે, એક કિશોરે સ્થાનિક તેની જ ઉંમરના છોકરાઓની ગેંગ બનાવી રોજ કંઈક ને કંઈક ટિખળ કરવાની યોજના ઘડે છે. સ્થાનિક છોકરાઓ પણ આ એક કિશોરની ગેંગમાં ભળીને બગડી ગયા હોવાની વિગતો પણ સામે આવી હતી.

શનિવારે જે સ્થળે પ્રતિમાનું સ્થાપ્ન કરવામાં આવ્યું છે ત્યાં પહેલા પોલીથીન ફેંકી હતી અને પછી પથ્થરો ફેંકવાનો પ્રયાસ કર્યો હતો પણ પહેલા દિવસે સફળ રહ્યો ન હતો જેથી રવિવારે રાત્રે ફરીથી પોતાની ગેંગના અન્ય પાંચ છોકરાઓને લઈને પહોંચ્યો હતો અને પથ્થર ફેંકયો હતો. લોકોએ તેને પકડીને પોલીસને સોંપ્યો હતો આ સંદેશો સ્થાનિક વિસ્તારમાં પહોંચી જતા હિંદુ-મુસ્લિમના ટોળાં સામસામે આવી ગયા હતા. અને તોફાન સર્જાયુ હતુ.

Advertisement
Tags :
Advertisement
Advertisement