ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સ્લમ ક્વાર્ટરમાં માનસિક બીમારીથી કંટાળી જાત જલાવી લેનાર યુવતીનો જીવન દીપ બુઝાયો

04:51 PM Aug 05, 2025 IST | Bhumika
Advertisement

શહેરના જામનગર રોડ પર આવેલા સ્લમ કવાર્ટરમાં રહેતી યુવતીએ માનસિક બિમારીથી કંટાળી કેરોસીન છાંટી જાત જલાવી લેતા તેણીને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં યુવતીનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ શહેરમાં જામનગર રોડ પર આવેલા સ્લમ કવાર્ટરમાં રહેતી નરગીસ મહમ્મદ સબીર શેખ (ઉ.વ.18) નામની યુવતીએ આજે સવારે પોતાના ઘરે જાતે શરીરે કેરોસીન છાટી દિવાસળી ચાપી લેતા તેણી શરીરે ગંભીર રીતે દાઝી ગઇ હતી. ગંભીર રીતે દાઝી ગયેલી યુવતીને માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયા બર્ન્સ વિભાગમાં તેણીનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. પ્રાથમિક તપાસમાં નરગીસ ત્રણ ભાઇ ત્રણ બહેનમાં મોટી અને મુળ બિહારની વતની હોવાનુ જણાવા મળ્યુ છે. તેણીએ માનસિક બિમારીથી કંટાળી આ પગલુ ભરી લીધાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે પ્રનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Next Article
Advertisement