For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રેમસબંધની જાણ થતા પતિએ તરછોડી; પ્રેમીએ સાથે રાખવાનો ઇનકાર કરતાં મહિલાનો આપઘાતનો પ્રયાસ

04:16 PM Aug 16, 2024 IST | Bhumika
પ્રેમસબંધની જાણ થતા પતિએ તરછોડી  પ્રેમીએ સાથે રાખવાનો ઇનકાર કરતાં મહિલાનો આપઘાતનો પ્રયાસ
Advertisement

શહેરમાં એસટી વર્કશોપ પાછળ આવેલા આંબેડકરનગરમાં રહેતી પરણિતાને ફેસબુક મારફતે મોરબીના યુવક સાથે આંખ મળી જતા બન્ને વચ્ચે પ્રેમ પંગર્યો હતો. પ્રેમ સંબધની જાણ થતા પતિએ તરછોડી દેવાનું કહ્યું હતું જ્યારે પ્રેમીએ સાથે રાખવાનો ઇન્કાર કરતા મહિલાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ એસટી વર્કશોપ પાછળ આવેલા આંબેડકરનગરમાં રહેતી શારદાબેન છગનભાઇ મૂછડીયા નામની 42 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે બપોરના સાડા અગીયારેક વાગ્યના અરસામાં ફિનાઇલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

Advertisement

પ્રાથમિક પૂછપરછમાં શારદાબેન મૂછડીયા હેન્ડી ક્રેફટ છે અને તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. શારદાબેન મૂછડીયાને છેલ્લા ત્રણ વર્ષથી મોરબી રહેતા મનીષ સોંલકી સાથે સોશ્યલ મીડિયામાં પ્રેમ થઇ ગયો હતો. બાદમાં પતિને પ્રેમસંબધની જાણ થતા તેણે સાથે રાખવાનો ઇન્કાર કર્યો હતો. જ્યારે સામે પ્રેમીએ પણ સાથે રાખવાની ના પાડી દેતા શારદાબેન મૂછડીયાએ ફિનાઇલ પી લીધુ હોવાનું અને પ્રેમી મનિષ સોંલકીએ પૈસા પડાવી લીધા હોવાનો આક્ષેપ ર્ક્યો છે. આ બનાવ અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement