રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બાળકોને વેકેશન પડે પછી ફરવા જાશુ પતિએ કહેતા પત્નીનો ફાંસો ખાઇ આપઘાત

03:28 PM Mar 18, 2024 IST | Bhumika
Advertisement

શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા જયોતીનગરમાં રહેતા પરિણીતાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે પરિણીતાએ ફરવા જવાનું કહેતા તેમના પતિએ પછી લઇ જવાનું કહેતા તેણીએ આ પગલુ ભરી લીધું હતું.

Advertisement

વધુ વિગતો મુજબ જયોતિનગર ચોક પાસે રહેતા વૈશાલીબેન કલ્પેશભાઇ કાછડીયા (પટેલ) નામના 42 વર્ષના પરિણીતાએ તેમના પતિને ફરવા જવાનું કહેતા પતિએ કહ્યું કે હાલ સંતાનોને પરીક્ષા આવતી હોય તેમને વેકેશન પડી ગયા બાદ ફરવા જાસુ તેમ કહેતા વૈશાલીબેનને લાગી આવતા આજે સવારે પોતાના ઘરે જ પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેમના પતિ વેપારી છે. તેમને સંતાનમાં એક પુત્ર એક પુત્રી છે. પરિણીતાના મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Next Article
Advertisement