અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળશે: તૈયારીઓ સંપન્ન
રાજકોટમાં છેલ્લા 18 વર્ષથી અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભવ્યથી ભવ્ય રીતે નીકળે છે. વર્ષમાં એકવાર ભગવાન જગન્નાથજી નગર ચર્યાએ નીકળે ત્યારે નગરજનો બધા કામ પડતાં મૂકી દર્શન માટે ઉમટી પડે છે. આ વર્ષે તા. 27/6/2025 ને શુક્રવારે સવારે 8:00 વાગ્યે જગન્નાથ મંદિરેથી રથયાત્રાનો પ્રારંભ થશે. રથની પહિંદ વિધિ રાજકોટના રાજવી ઠાકોર સાહેબ શ્રી માધાતાસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવશે.
રથયાત્રામાં આ વર્ષે રાસમંડલી, અઘોરી મંડળી અને ઉજ્જૈનના સૌથી ઉંચા બાહુબલી હનુમાનજી આકર્ષણનું કેન્દ્ર બનશે. જે રથયાત્રાના રૂૂટ ઉપર અલગ અલગ ચોકમાં પોતાની કલા પ્રદર્શિત કરી નગરજનોને મનોરંજન પીરસશે, રથયાત્રા સવારે 8:00 વાગે નિજ મંદિરેથી નીકળી ર6 કિ.મિ. રૂૂટ ઉપર ફરી સાંજે 7:00 વાગે મંદિરે પરત ફરશે. તા. 21/6/2025, શનિવારે સાંજે 5:00 વાગ્યે મામેરાવિધિ યોજાશે જેના યજમાન પ્રવિણસિંહજી બાપુભા જાડેજા (માં પેટ્રોકેમ-નાના મૌવા રાજકોટ) તા. રર/6/2025, રવિવારે સવારે 9:00 વાગ્યે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાશે જેના યજમાન બ્રિજેશ પાંડેજી, સુબેસિંગ શર્મા, વરવાભાઈ ટારીયા તેમજ વિશિષ્ટ પુજનના યજમાન દિપકભાઈ કાકુ, કમલેશભાઈ સાકરીયા, તા. 23/6/2025, સોમવારે સવારે 10:00 વાગ્યે વાઘાવસ્ત્ર પુજન યોજાશે જેના યજમાન બાબુભાઈ સાંગાણી, ખુશાલભાઈ સાંગાણી, તા. 24/6/2025, મંગળવારે સવારે 10:00 વાગ્યે નિજ મંદિરમાં ભગવાન જગન્નાથજી, બહેન શુભદ્રાજી, ભાઈ બલભદ્રજીના રથની પ્રતિષ્ઠા પૂજન કરાશે, જેના યજમાન ઉદયભાઈ લોહાર, તા. 2પ/6/202પ, બુધવારે રાત્રે 8:00 વાગ્યે જગાભાઈ ટીકરવાળાનો કાનગોપીનો કાર્યક્રમ યોજાશે. તા. 26/6/2025, ગુરૂૂવારે રાત્રે 10:30 વાગ્યે નેત્રવિધી પુજન યોજાશે જેના યજમાન આનંદસિંહ ઠાકુર, ઓમ પ્રકાશ રામાધીનસિંહ, સુરેશભાઈ મગનભાઈ વસોયા, તા. 27/6/2025, શુક્રવારે સવારે 7:00 વાગ્યે છપ્પનભોગ ધરવામાં આવશે જેના યજમાન અભયભાઈ ભારદ્વવાજ અને નીતીનભાઈ ભારદ્વવાજ પરીવાર, તા. 27/6/2025, શુક્રવારે સાંજે 7:00 વાગ્યે સાધુ-સંત ભંડારા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેના યજમાન મનહરસિંહ મુળુભા જાડેજા (હ. કરણસિંહ જાડેજા નાનામૌવા) મંદિર સુશોભનના યજમાન પ્રદિપસિંહ જાડેજા આશીર્વાદ મંડપ સર્વિસ નાનામૌવા, ફૂલહાર સુશોભનના યજમાન સ્વ.મઘીબેન નોંધાભાઈ જુંજા (હ. કરણ રાજુભાઈ જુજા), બાલકદાસ બંસીદાસ દેવમુરારી, રથ પૂજનના યજમાન હરદેવસિંહ જીવુભા જાડેજા નાનામૌવા, હિતેશભાઈ સાપરીયા, ઈશ્વરચંદ શર્મા, હાર્દિકભાઈ બારોટ, બાલભોગના યજમાન વિજયભાઈ વસોયા, રસિકભાઈ ગોરસીયા, સાધુ-સંતોના વસ્ત્રદાનના યજમાન વિજયભાઈ ગર્ગ, લાઈટ ડેકોરેશનના યજમાન જય જગન્નાથ લાઈટ ડેકોરેશન વગેરે છે. તા. 27/6/2025 શુક્રવારે સવારે 6:00 વાગે ભગવાનના આંખેથી પાટા છોડવામાં આવશે, ભગવાનને ભોગ ધરાવ્યા બાદ મહા આરતી યોજાશે, ત્યારબાદ જય જગન્નાથજીના નાદ સાથે ત્રણેય મૂર્તિને રથમાં પધરાવવામાં આવશે. ત્યારબાદ મહાનુભાવોના અને સંતોના હસ્તે રથ ખેંચીને રથનું પ્રસ્થાન થશે. તેમ જગન્નાથ મંદિરના મહંત 1008 મહા મંડલેશ્વર ત્યાગી મનમોહનદાસજી ગુરુ રામકિશોર-દાસજીની યાદીમાં જણાવાયું છે