રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટમાં પાંચ દિવસના ધરોહર મેળાનો કાલથી પ્રારંભ

12:13 PM Aug 23, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

સાંજે પ્રભારીમંત્રી રાઘવજી પટેલના હસ્તે ખુલ્લો મુકાશે, વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને અપાતો આખરી ઓપ

ગેમ ઝોન અગ્નિકાંડના કારણે તકેદારીના વિશેષ પગલાં, ભીડ ખાળવા રાત્રે 11-30 વાગ્યા બાદ એન્ટ્રી બંધ

17 સ્થળે ફ્રી પાર્કિંગની વ્યવસ્થા, એમ્બ્યુલન્સ- ફાયર ફાઇટર- સિકયુરિટી સ્ટાફમાં બમણો વધારો

રાજકોટમાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન પાંચ દિવસનો ધરોહર લોકમેળો આવતીકાલે સાંજે 4-30 વાગ્યાથી રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવનાર છે. તે પૂર્વે વહિવટીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને 125 જેટલા કર્મચારીઓને ડયુટી ફાળવવામાં આવી છે. લોકમેળામાં સુરક્ષા વ્યવસ્થા અંગે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ગેમઝોન અગ્નિકાંડ બાદ તકેદારીના વિશેષ પગલા લેવામાં આવ્યા છે અને પ્રથમ વખત લોકમેળામાં વિવિધ રાઇડસ માટે કડક નિયમો બનાવાયા છે અને ભીડને પહોંચી વયવા રાતે 11-30 વાગ્યા બાદ લોકમેળામાં એન્ટ્રી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

ચાલુ વર્ષે તા. 24 થી 28 ઓગસ્ટ, 2024 એમ પાંચ દિવસ સુધી યોજાનારા આ મેળામાં ધંધો રોજગાર કરવા માટે 235 સ્ટોલ અને પ્લોટની ફાળવણી લોકમેળા સમિતિ દ્વારા થઈ રહી છે. લોકોની અવરજવરની સુગમતા માટે સ્ટોલ્સની સંખ્યામાં 30 ટકાનો ઘટાડો કરાયો છે. જે પૈકી રમકડાના 140 સ્ટોલ, ખાણીપીણીના 32 સ્ટોલ, મેન્યુઅલ રાઇડ 15, મોટી રાઇડસ (મીકેનીકલ) 31, પ્લોટ ડ્રો સિસ્ટમથી ફાળવવામાં આવી રહયા છે. આઈસ્ક્રીમના 16 પ્લોટ, એક ટી કોર્નર પ્લોટ હરરાજીથી ફાળવવામાં આવ્યા છે.

ધરોહર લોકમેળામાં લોકોના મનોરંજન માટે વિવિધતાસભર સાંસ્કૃતિક કાર્યક્રમો માટે આકર્ષક ડોમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ધરોહર લોકમેળાના ઉદ્ઘાટન સમારંભમાં રાજકોટના શ્રી વૃંદ દ્વારા અર્વાચીન ગરબો, રાજકોટના મેગીસ ક્રિએશન, ભાવનગરના બજરંગ કલા ચેરીટેબલ ટ્રસ્ટ, જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના ચોરવાડના હોલી-હુડો ગ્રુપ દ્વારા હુડો રાસ, પોરબંદર જિલ્લાના બોખીરા ગામના શ્રી ચામુંડા મહેર રાસ મંડળ દ્વારા ઢોલ-તલવાર રાસ, ગીરસોમનાથના ગેબી સરકાર ગ્રુપ દ્વારા આદિવાસી ધમાલ નૃત્ય, રાજકોટના લોકગાયકશ્રી દિવ્યેશભાઈ જેઠવા દ્વારા ડાયરાની પ્રસ્તુતિ કરાશે.

સૌરાષ્ટ્રભરના ગામડાઓમાંથી આવતી પ્રજા માટે જુદી જુદી 17 જેટલી જગ્યાએ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકમેળામાં લોકોની સુરક્ષા માટે યાંત્રિક રાઇડ્સ ચકાસણી માટે દરરોજ ફિટનેસ ર્ટીફીકેટ મેળવ્યા બાદ જ રાઇડ્સ શરૂૂ કરવાની મંજુરી અપાશે. લોકમેળામાં પાણી પુરવઠા, યાંત્રિક રાઇડ્સની ચકાસણી, ફાયર સર્વિસ, સફાઈ, આરોગ્ય, ફૂડ એન્ડ ડ્રગ્સ, કાયદો વ્યવસ્થા સહિતની જુદીજુદી સમિતિઓ લોકમેળાના સુચારૂૂ આયોજન અને અમલીકરણની કામગીરી કરશે.

ગત વર્ષની 3 એમ્બ્યુલન્સ સામે આ વર્ષે પાંચ એમ્બ્યુલન્સ અને ગત વર્ષના 3 ફાયર ફાઇટરને બદલે આ વર્ષે પાંચ ફાયર ફાઇટરની વ્યવસ્થા મેળા માટે કરાઇ છે. ગત વર્ષના રોજના 100 પ્રાઇવેટ સિકયોરિટી સ્ટાફને બદલે આ મેળામાં રોજના 125 સિકયોરિટી સ્ટાફ તૈનાત રહેશે. 11.30 વાગ્યે લોકમેળાની એન્ટ્રી બંધ કરી દેવાશે. મેળાની સફાઇ કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. મેળામાં થતા અવાજની ડેસીબલની માત્રા પર ચાંપતી દેખરેખ રાખવામાં આવશે. વાસી ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવશે.

જિલ્લા કલેકટર પ્રભવ જોષીના અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર હસ્તકની લોકમેળા સમિતિ દ્વારા આયોજિત આ લોકમેળાની આવક રાજકોટ જિલ્લાના વિકાસકામો માટે ખર્ચવામાં આવે છે. અત્યાર સુધીમાં ઈશ્વરીયા પાર્ક, ઈવનિંગ પોસ્ટ, ઘેલા સોમનાથ, કબા ગાંધીનો ડેલો, વીરપુર મીનળવાવ વગેરે જેવા સ્થળોના વિકાસકામોમાં લોકમેળા સમિતિ દ્વારા કરાયા હતા.

Tags :
gujaratgujarat newsLok MelarajkotRajkot fairRajkot lok melorajkot news
Advertisement
Next Article
Advertisement