રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ફાકી ખાવા બાબતે પિતાએ ઠપકો આપતા એન્જિનિયરિંગના છાત્રએ ફાંસો ખાઇ લીધો

05:08 PM Sep 12, 2024 IST | admin
Advertisement

જસદણ ખાતે ઘરમાં જ પંખા સાથે દોરડું બાંધી કરેલો આપઘાત

Advertisement

આજના સમયમાં વિદ્યાર્થીઓમાં આપઘાતનું પ્રમાણ વધી રહ્યું છે. વાલીઓ સમાન્ય બાબતે ઠપકો આપતા સંતાનો જીવન ટુઁકાવી લેતા હોવાનો બનાવો વધી રહ્યા છે ત્યારે વધુ એક બનાવમાં ફાકી ખાવા બાબતે પિતાએ ઠપકો આપતા એન્જિનિયરીંગના છાત્રએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચક્રચાર મચી જવા પામી છે. જસદણ રહેતો અને ત્રંબા ખાતે આવેલી આર.કે યુનિ.માં અભ્યાસ કરતા છાત્ર એ પોતાના ઘરે પંખામાં લટકી જઇ જીવન ટુંકાવી લીધુ હતુ.

જાણવા મળતી વિગત મુજબ જસદણમાં આવેલી આનંદધામ સોાસયટીમાં રહેતો અને ભાવનગર હાઇવે પર ત્રંબા પાસે આવેલી આરે.કે યુનિમાં. એન્જિનિયરીંગ ડીપ્લોમાંનો અભ્યાસ કરતા પાર્થ શૈલેષભાઇ મકવાણા (ઉ.વ.19) નામના છાત્રએ ગઇકાલે સાંજના સમયે પોતાના ઘરે રૂમમાં પંખા સાથે ગળફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેને બેભાન હાલતમાં જસદણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જયા ફરજ પરના તબીબી જોય તપાસી મૃત જાહેર કર્યો હતો.

બનાવની જાણ થતા જસદણ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પ્રણવભાઇ વાછાણી સહિતનો સ્થાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃત દેહને પી.એમમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક પાર્થ ગઇકાલે બોપરે 12 વાગ્યા સુધી કોલેજ હતો બાદમાં ઘરે જઇ આ પગલું ભરી લીધુ હતુ. વધુ તપાસમાં પાર્થ ફાકી ખાતો હોય જેથી તેના પીતા શૈલેષભાઇ જોઇ જતા તેમને પુત્ર ને ફાકી ખાવા બાબતે ઠપકો આપ્યો હોય જેનુ લાગી આવતા પાર્થે આ પગલું ભરી લીધાનું ખુલવા પામ્યુ છે. યુવાન પુત્રના મોતથી પરિવાર જનોમાં ગમગીની છવાઇ જવા પામી હતી.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાંજ આર.કે યુનિ.ના ર્ફામસીના છાત્રએ હોસ્ટેલના રૂમમાં જ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો જયારે વાવડી વિસ્તારમાં રહેતી ધો.12ની છાત્રાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો ત્યારે વધુ એક બનાવ સામે આવતા ટુકા ગાળામાં જ ત્રણ વિદ્યાર્થીઓના આપઘાતથી શિક્ષણ જગતમાં ચક્રચાર મચી જવા પામી હતી.

Tags :
deathgujaratgujarat newsJasdanrajkotrajkot newssuicide
Advertisement
Next Article
Advertisement