For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અયોધ્યા જવાની સ્પેશિયલ ટ્રેનને લીલીઝંડી આપશે મુખ્યમંત્રી

05:53 PM Feb 07, 2024 IST | Bhumika
અયોધ્યા જવાની સ્પેશિયલ ટ્રેનને લીલીઝંડી આપશે મુખ્યમંત્રી

pm નરેન્દ્રભાઈ મોદી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી ભગવાન રામજીને ભવ્ય મંદિરમાં બિરાજમાન કર્યા છે. સૌ દેશવાસીઓ રામ ભગવાનના દર્શન કરવા માટે આતુર છે ત્યારે ગુજરાતમાં રામ ભગવાનના દર્શન કરવા રામ ભક્તો માટે એક સ્પેશિયલ ટ્રેનની સુવિધા શરૂૂ કરવામાં આવી છે. ભગવાન રામજીના દર્શન માટે ‘આસ્થા સ્પેશિયલ ટ્રેન’ સીધી અયોધ્યા લઈ જશે.

Advertisement

આ ટ્રેનને આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાબરમતી રેલવે સ્ટેશનથી આજે રાત્રે 10.00 કલાકે પ્રસ્થાન કરાવશે. આ પ્રસંગે મહાનગરના પ્રભારી સંજયભાઈ પટેલ, મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી, પ્રદેશના સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ શાહ, કર્ણાવતી મહાનગરના પ્રમુખ અમિતભાઈ પી શાહ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહેશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement