બહુમુખી ગણપતિની પ્રતિમાનું આકર્ષણ
05:32 PM Sep 10, 2024 IST | Bhumika
Advertisement
રાજકોટના કોઠારીયાનાકા પાસે પારગેટ મિત્રમંડળ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવના પંડાલમાં ગણપતિ દાદાની બહુમુખી પ્રતિમાએ ભારે આકર્ષણ જમાવ્યું છે. આ પ્રતિમામાં ગણપતિજીની ત્રણ હાથી ઉપર સવાર હોય અને નવ મુખ અને 20 હાથ સાથેની પ્રતિમા હોય લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે. ગણેશ ચતુર્થી પર્વમાં અવનવી પ્રતિમાઓ આકર્ષણનું કેન્દ્ર બને છે ત્યારે ભકતોમાં આ પ્રતિમાના દર્શન કરવા અનેરો ઉત્સાહ જોવા મળે છે.
Advertisement
Advertisement