રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઘરેથી નીકળી ગયેલા રાજીવનગરના યુવાનની જામનગર રોડ પરથી લાશ મળી

04:02 PM Oct 09, 2024 IST | admin
Advertisement

મૃતકે દારૂ પીવાની ટેવને કારણે જીવ ગુમાવ્યો હોવાની આશંકા

Advertisement

રાજકોટમાં પેટીયુ રળવા આવેલા અને બજરંગવાડી વિસ્તારમાં આવેલા રાજીવનગરમાં રહેતા યુવાનનો જામનગર રોડ પર ચંદ્રાણી હોસ્પિટલ પાસેથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.પોલીસે યુવકના મૃત્યુનું કારણ જાણવા તપાસનો દોર લંબાવ્યો છે.

જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં બજરંગવાડી વિસ્તારમાં આવેલા રાજીવનગરમાં રહેતો અબ્દુલ જબ્બરભાઈ શેખ નામનો આશરે 39 વર્ષનો યુવાનનો જામનગર રોડ પર ચંદ્રાણી હોસ્પિટલ પાસેથી મૃતદેહ મળી આવ્યો હતો. યુવકની લાશ પડયા પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.આ ઘટના અંગે જાણ થતાં ક્રાઈમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસ સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

પોલીસે ઘટના સ્થળે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો.આ અંગે પ્રાથમિક પૂછપરછમાં મૃતક અબ્દુલ રાજકોટમાં પેટીયુ રળવા આવ્યો હતો અને સાડી ભરવાનું કામ કરતો હતો.અબ્દુલના મોતનું કારણ જાણવા તપાસ શરૂૂ કરવામાં આવી છે.પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે અબ્દુલને દારૂૂ પીવાની ટેવ હતી અને ગઈકાલે ઘરેથી નીકળી ગયા બાદ તેમની લાશ મળી આવી હતી.

Tags :
body of a Rajivnagar youthgujaratgujarat newshad left home was foundrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement