રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

યુડી ક્લબમાં ઉમિયાના નાદથી ગુંજી ઉઠ્યું વાતાવરણ

04:47 PM Oct 11, 2024 IST | admin
Advertisement

મહાઆરતીમાં રાજકીય- સામાજિક- ઔદ્યોગિક મહાનુભાવોનો મહેરામણ ઉમટયો

Advertisement

યુડી ક્લબમાં આઠમાં નોરતે માતાજીની આરતીમાં માનવ મહેરામણ ઉમટી પડવાની સાથે ભક્તિનું ભવ્ય વાતાવરણ સર્જાયુ. ઉપસ્થિત ભક્તોએ માતાજીની આરતી કરી ધન્યતા અનુભવી હતી. ઉમા ડાયનેમીક ક્લબનું મહા આરતીનું આયોજન અદભુત અને વ્યવસ્થિત બેઠક વ્યવસ્થા સાથે હતુ. આજના મહા આરતીના આયોજનમાં સમાજના શ્રેષ્ઠીઓની વિશેષ ઉપસ્થિતી હતી જે યુડી ક્લબની આ આરતીને ઐતાહાસિક બનાવી રહી હતી. માં જગદંબાની આરાધનાની આ ક્ષણ આહલાદક અને ભવ્ય બની રહી. માતાજીની આરતીની સાથો સાથ ખેલૈયાઓ પણ નવરાત્રીના અંતિમ ચરણમાં રાસ ગરબા રમવા ઉમટી પડયા. શોખીન ખેલૈયાઓ આબેહુબ સ્ટેપ સાથે અને વિવિધ પરિધાનોમાં શોભી રહ્યા હતા.

યુડી કલબની આ યાદગાર ક્ષણને માણતા શહેરના શ્રેષ્ઠીઓએ પણ માં ઉમિયાના નાદથી વાતાવરણ ગુંજતુ કર્યુ હતુ ત્યારે આ તકે ઉપસ્થિત સર્વે પરષોતમભાઈ રૂૂપાલા-સાંસદ સભ્ય, રામભાઈ મોકરીયા-સાંસદ સભ્યા, રમેશભાઈ ટીલાળા-ધારસભ્ય, દર્શિતાબેન શાહ- ધારાસભ્ય, નયનાબેન પેઢડીયા-મેયરલી, નરેન્દ્રસિંહ જાડેજા-ડે.મેયર, જયમીન ઠાકર- સ્ટે.ચેરમેનહી, મોહનભાઈ કુંડારીયા -માજી સાંસદસભ્ય, લલિતભાઈ કગથરા-માજી ધારાસભ્ય, લીલુબેન જાદવ, મનિષભાઈ રાડીયા-દંડક, મુકેશભાઈ દોશી, માઘવભાઈ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિનભાઈ મોલીયા, જીવણબાપા ગોવાણી-પાટીદાર ભામશા, રમણભાઈ વરમોરા-ટ્રસ્ટી ઉમિયા માતાજી મંદીર સીદસર, શૈલેષભાઈ વૈશ્નાણી- ટ્રસ્ટી ઉમિયા માતાજી મંદીર સીદસર, ગૌતમભાઈ ધમસાણીયા-પ્રેસીડન્ટ રાજ્કોટ ચેમ્બરઓફ કોમર્સ, સંજયભાઈ જાકાસણીયા-બેકબોન ગ્રુપ, પુષ્કરભાઈ પટેલ-કોર્પોરેટર, અશ્વિનભાઇ બોડા-ક્રેડેન્સ ગ્રુપ, આર.પી.પટેલ-પ્રેસીડેન્ટ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, બાબુલાલ પટેલ-પ્રમુખ શ્રી ઉમિયા માતાજી મંદીર ટ્રસ્ટ ઉંઝા, મૌલેશભાઈ ઉકાણી- ચેરમેન ઉમિયા માતાજી મંદીર ટ્રસ્ટ સીદસર, જેરામભાઈ વાંસજાળીયા-પ્રમુખ ઉમિયા માતાજી મંદીર ટ્રસ્ટ સીદસર, અરવિંદભાઈ કણસાગરા-પ્રમુખ ઉમિયા માતાજી મંદીર સંસ્થા રાજકોટ ગોવિંદભાઈ વરમોરા- ઉપ પ્રમુખ ઉમિયા માતાજી મંદીર ટ્રસ્ટ ઉંઝા, નિલેશભાઈ ધુલેશીયા-પ્રમુખ ઉમિયા માતાજી મંદીર ગાંઠીલા, બાબુભાઈ ઘોડાસરા-એસ. કલેક્ટર, મનસુખભાઈ પાણ-ટ્રસ્ટી ઉમિયા માતાજી મંદીર સિદસર, વલ્લભભાઈ વડલીયા- ટ્રસ્ટી ઉમિયા માતાજી મંદીર સિદસર, બિપિનભાઈ હદવાણી-ગોપાલ નમકીન, નિખિલભાઈ પટેલ- ટ્રસ્ટી ઉમિયા માતાજી મંદીર સિદસર, પ્રફુલ્લભાઇ હદવાણી-ગોકુલ નમકીન વગેરે મહાનુભાવોએ ભાવપુર્વક માતાજીની આરતી કરી હતી.

Tags :
atmospheregujaratgujarat newsrajkotrajkot newssound of Umiya
Advertisement
Next Article
Advertisement