રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

થાનગઢની સગીરાના અપહરણ-પોક્સોના ગુનાનો ફરાર આરોપી ઉનામાં ઝડપાયો

12:09 PM Dec 28, 2023 IST | Bhumika
Advertisement

જૂનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી નિલેશ જાજડીયા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજાની સુચના અંતર્ગત જીલ્લામાં તથા જીલ્લા બહાર ગુનો આચરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા આદેશ કરતાં જે અનુસંધાને એલ.સી.બી.ના પો.ઇન્સ. એસ.એમ. ઇશરાણીના માર્ગદર્શન મુજબ પો.સબ ઇન્સ. વી.કે.ઝાલા તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા.

Advertisement

તે દરમ્યાન પો.હેડ કોન્સ. પ્રવિણભાઇ મોરી, પ્રફુલભાઇ વાઢેર, રાજુભાઇ ગઢીયા, પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ કોન્સ. જયરાજસિંહ ગોહીલ તથા પો.કોન્સ.સંદિપસિંહ ઝણકાટના ઓને મળેલ સંયુકત બાતમી આધારે સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢના અપહરણ તથા પોકસો ગુનામાં ભાગતો ફરતો આરોપીને સગીર વયની ભોગ બનનાર યુવતિ સાથે ઉના ગીરગઢડા રોડ, મામલતદાર ઓફીસ પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.પકડાયેલ આરોપી અમિતભાઇ હસુભાઇ મેર(રહે.નાળીયેરી તા.ચોટીલા, જી. સુરેન્દ્રનગર)ને પકડી પાડી પુછપરછ કરતાં તેનું નામ ચોટીલાના અપહરણ,દુષ્કર્મ,પોકસો તેમજ નાળયેરી ગામે કાનાભાઇ મેરના મર્ડરમાં ખુલવા પામેલ હતું.આરોપીને થાનગઢ પોલીસને હવાલે કર્યાની કાર્યવાહી કરી હતી.

Tags :
gujaratgujarat newsThangarhThangarh news
Advertisement
Next Article
Advertisement