અમદાવાદમાં કપિરાજે મચાવ્યો આતંક, સરખેજમાં 30 લોકોને બચકાં ભરી કર્યા લોહીલુહાણ કર્યા
રાજ્યમાં અનેકવખત કપિરાજના હુમલાના કિસ્સા સામે આવતાં હોય છે. ત્યારે વધુ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાં કપિરાજે આતંક મચાવ્યો છે, કપિરાજે 30 લોકોને બચકાં ભર્યા છે. આ ઘટના સરખેજના રોજા, ચિકુની વાડી સહિતના વિસ્તારોમાં બની છે. છેલ્લા પાંચ દિવસથી સરખેજમાં કપિરાજની ટોળીનો આતંક વધ્યો છે. આ ઘટના બાદ લોકોમાં ભયનો માહોલ છવાયો છે. અને લોકોને લાકડી સાથે રાખવાની ફરજ પડી છે.
અમદાવાદમાં કપિરાજનો આતંક સામે આવ્યો છે. શહેરમા 30 લોકોને કપિરાજે પોતાનો શિકાર બનાવ્યા છે. સરખેજમાં કપિરાજે 30 લોકોને બચકાં ભરી લેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે અને હાથમાં લોકોને લાકડી સાથે રાખવાની ફરજ પડી છે. આ ઘટના મામલે સ્થાનિકોનું કહેવું છે કે સરખેજ રોજા, ચિકુની વાડી સહિતના વિસ્તારોમાં એક મહિનાથી કપિરાજનો આતંક વધ્યો છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી કપિરાજની ટોળીએ એટલી બધી હદ વટાવી છે કે, કેટલાક લોકોને તો હાથે કે પગે આઠ-દસ ટાંકા લેવા પડે એવી રીતે તેમના પર હુમલા કર્યા છે.માત્ર અમદાવાદ જ નહીં મહેસાણા જિલ્લામાં પણ કપિરાજનો આતંક વધ્યો હોવાના કિસ્સા સામે આવી રહ્યાં છે.