દ્વારકામાં ફૂલડોલ ઉત્સવમાં યાત્રિકોની સગવડતા માટે તંત્રની તડામાર તૈયારીઓ
12:10 PM Mar 20, 2024 IST | Bhumika
- લાખો ભાવિકો કાળિયા ઠાકોરના વગર મુશ્કેલીએ દર્શન કરી શકશે
યાત્રાધામ દ્વારકામાં હોળી તેમજ ફુલડોલ ઉત્સવ ઉજવવા લાખો ભાવિકો દ્વારકાધીશ જગતમંદિરે દર્શનાર્થે આવનાર હોવાથી સંબંધિત તંત્ર દ્વારા ભક્તોને અગવડતા ન પડે તે માટે તૈયારી ઓનો ધમધમાટ શરૂૂ કરી દીધો છે.દ્વારકા જગતમંદિર પરીસરમાં ભાવિકોને તડકાથી બચવા મંડપ બંધાયા છે
Advertisement
તેમજ ભિડના કારણે ધક્કા મુક્કી ન થાય તે માટે બેરકેટીગો નાખવામાં આવી રહી છે ગયા વર્ષની જેમ ભાવિકો માટે કિર્તીસ્તંભ પાસેથી એન્ટ્રી થઈ સ્વર્ગ દ્વાર છપ્પન સીડીથી જગતમંદિરે દર્શન કરવા જવા માટે પ્રવેશની વ્યવસ્થા રાખવામાં આવી છેમંદિર પરિસર મોક્ષ દ્વારથી મંદિર બહાર નિકળવા માટેની વ્યવસ્થા તંત્ર દ્વારા રાખવામાં આવી છે ફુલડોલ ઉત્સવ નિમિત્તે ભાવિકો કાળિયા ઠાકોરના દર્શન કરી શકે તે માટે તંત્ર દ્વારા વ્યવસ્થાના ભાગરૂૂપે તૈયારીઓનો ધમધમાટ શરૂૂ કરી દીધો છે.
Advertisement
Advertisement