For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સદરબજારમાં ઝઘડાની શંકાએ યુવકને ત્રણ શખ્સોએ છરીના ઘા ઝીંકી દીધા

04:49 PM Sep 07, 2024 IST | admin
સદરબજારમાં ઝઘડાની શંકાએ યુવકને ત્રણ શખ્સોએ છરીના ઘા ઝીંકી દીધા

અમદાવાદના શખ્સ સહિત ત્રણ સામે નોંધાતો ગુનો

Advertisement

સદરબજારમાં ઝઘડાની શંકાએ યુવકને ત્રણ શખ્સોએ છરીના ઘા ઝીંકી દેતા ઘવાયેલા યુવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ અંગે ત્રણ શખ્સો સામે પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
બનાવની મળતી વિગતો અનુસાર સદરબજારમાં રહેતા સમીરભાઈ હુમાયુભાઈ સંઘાર (ઉ.વ.30)એ ફરિયાદમાં નિલેશ સોલંકી, જયકુમાર ઉર્ફે જયલો અને અમદાવાદના તુષાર વાઘેલાનું નામ આપતો તેમની સામે ગુનો નોંધાયો હતો. સમીરભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે નોનવેજની દુકાન ધરાવે છે.

ગઈ તા. 6ના રોજ રાત્રે સમીર રાજકોટ રેલવે સ્ટેશનની સામે આવેલા બજરંગ ટી સ્ટોલ પાસે ચા પીતો હતો ત્યારે તેમના વિસ્તારમાં રહેતો ઈમરાનનો કોલ આવ્યો હતો. કે મારા માણસને છરી કેમ મારી? જેથી મે તેમને કહ્યું કે મે કોઈને છરી મારી નથી પછી તરત તેમણે ફોન કાપી નાખ્યો હતો બાદમાં સમીર તેમના ઘરે જતો રહ્યો હતો. ત્યાર બાદ સમીર ઘર નજીક ચોકમાં બેઠો હતો ત્યારે નિલેશ, જય કુમાર ઉર્ફે જયલો અને તુષાર વાઘેલાએ બોલાચાલી કરી હતી અને સમીર ભાગવા જતાં નિલેશ સમીરના પીઠ પર છરીના ઘા ઝીંકી દીધા હતા આ અંગે તેને સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો. આ અંગે પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવતા તમામને સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement