રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

એક મહિનાથી પતિને છોડી રાજકોટ પ્રેમી સાથે રહેતી નેપાળી પરિણીતાનો આપઘાત

05:43 PM Sep 07, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ભગવતીપરાના સમન્વય હાઈટ્સમાં બનાવ: પરિણીતાએ ગળેફાંસો ખાઈ પગલું ભર્યું

મુળ નેપાળની એક મહિના પહેલા સુરતમાં રહેતા પતિને છોડી રાજકોટ આવી પરણેલા પ્રેમી અને પ્રેમીની પત્નિ સાથે ભગવતીપરામાં રહેતી હતી તે પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઇ છે.તેણીએ જાતે ગળાફાંસો ખાઇ લીધાનું પ્રેમીએ કહેતાં પોલીસે તેની પુછતાછ હાથ ધરી છે. બીજી તરફ મોતનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું

મળેલી માહિતી મુજબ, ભગવતીપરા સમન્વય હાઇટ્સ જે વિંગ-402માં ચોથા માળે રહેતી અનિતા દિપક ટમટા (ઉ.વ.28) નામની નેપાળી પરિણીતાએ રાતે સાડા અગિયારેક વાગ્યે ઘરના રૂૂમમાં ગાળફાંસો ખાઇ લીધાની જાણ થતાં 108 પહોંચી હતી. તેના ઇએમટી યાસીનભાઇએ તેણીને મૃત જાહેર કરતાં પોલીસ ક્ધટ્રોલ રૂૂમના ઇન્ચાર્જ વી. એસ.ચૌહાણ, બીપીનભાઇ પટેલ સહિતે બી-ડિવીઝન નોંધ કરાવતાં પીએસઆઇ એમ. આઇ. શેખ,એએસઆઈ સોઢા, ધર્મેશભાઇ સહિતે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.

પોલીસે તપાસ કરતાં એવી વિગતો સામે આવી હતી કે અનિતા તેના પ્રેમી દિપક ટમટા સાથે અહિ રહેતી હતી. દિપક સાથે તેની આગલી પત્નિ અને બે સંતાન પણ રહે છે. દિપક પ્રાઇવેટ નોકરી કરે છે. પામનાર અનિતાનો પતિ સુરત રહે છે, તેને પણ એક દિકરી છે. એક મહિના પહેલા અનિતાને દિપક સુરતથી ભગાડી આવ્યો હતો. બંને નેપાળમાં હતાં ત્યારથી જ પ્રેમ હતો. અનિતાએ જાતે ગળાફાંસો ખાઇ લીધાનું દિપક અને તેની પત્નિએ પોલીસને કહ્યું હતું. પોલીસે ખરેખર શું બન્યું? તે જાણવા અને મોતનું કારણ જાણવા યથાવત રાખી છે. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ વધુ વિગતો ખુલશે. તેના આગલા પતિને પણ બનાવની જાણ કરવા તજવીજ કરવામાં આવી હતી.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Next Article
Advertisement