For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આર્થિક ભીંસના લીધે જિંદગીથી કંટાળેલા યુવકનો આપઘાતનો પ્રયાસ

02:14 PM Mar 19, 2024 IST | Bhumika
આર્થિક ભીંસના લીધે જિંદગીથી કંટાળેલા યુવકનો આપઘાતનો પ્રયાસ
  • રાજકોટની ઘટના: યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયો

રાજકોટમાં આવેલા પરસાણાનગરમાં રહેતા યુવાને આર્થીકભીંસના કારણે જિંદગીથી કંટાળેલા યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવાનને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં જામનગર રોડ ઉપર આવેલા પરસાણાનગરમાં રહેતા અશોક સખીમલભાઈ કુકરેજા નામનો 42 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો. ત્યારે રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. યુવાનને ઝેરી અસર થતા બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પ્રનગર પોલીસને જાણ કરતા પ્રનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આપઘાતનો પ્રયાસ કરનાર અશોક કુકરેજા ચાર ભાઈમાં નાનો છે અને દુકાનમાં નોકરી કરી પરિવારનું પરિવારનું ગુજરાન ચલાવે છે. અને અશોક કુકરેજાને સંતાનમાં બે પુત્રી છે આર્થિક ભીંસના કારણે જિંદગીથી કંટાળી અશોક કુકરેજાએ ઝેરી દવા પી આપાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પ્રનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement