ધ્રાંગધ્રાના રેલ્વે સ્ટેશન વિસ્તારના રખડતાં શ્વાનનો આતંક, 10 લોકોને બચકા ભર્યા
ધ્રાંગધ્રા શહેરમાં રખડતા પશુ બાદ હવે શ્વાનનો આતંક સામે આવ્યો છે જેમાં નરશીપરા વિસ્તારમાં રખડતા શ્વાને એક બાદ એક એમ પાંચ જેટલા લોકોને બચકા ભર્યા હતા બાદ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રખડતા સ્વાને 10 લોકોને બચકા ભરતા .ધ્રાંગધ્રા લોકોને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડયા હતા.
ધ્રાંગધ્રા શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રખડતા શ્વાનન આતંક બહાર આવ્યો સેવાને રાહદારીઓ અને સ્થાનિકોને ટાર્ગેટ કર્યા રખડતા શ્વાને અહીં વિસ્તારમાં નીકળતા એક નહીં બે નહીં પરંતુ 10 લોકોને બચકા ભર્યા હતા જે રખડતા શ્વાનના ભોગ બનનારાાં 3 મહિલાઓ 3 બાળકો ચાર પુરુષો નો પણ સામેલ હતા ત્યારે આ તમામ લોકોને તાત્કાલિક ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ લઈ જઈ સારવાર કરવામાં આવી હતી જ્યારે આ પ્રકારની ઘટના નરશીપરા વિસ્તાર બાદ બીજી વખત રેલ્વે સ્ટેશન વિસ્તારમાં સામે આવી હતી જે અગાઉ પણ શ્વાન દ્વારા વાહન લઈને નીકળતા રાહદારીઓની પાછળ દોડી બચકા ભર્યા હતા આ તરફ છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારે રખડતા શ્વાનના ત્રાસને લીધે સ્થાનિકો દ્વારા શ્વાનને પકડી દૂર વગડા વિસ્તારમાં છોડી મૂકવા માંગ કરી હતી ત્યારે વિસ્તાર માજી સુધરાઈ સભ્ય ઘનુભાઈ પ્રધનાણીએ જણાવ્યું કે વિસ્તાર રખડતાં સ્વાન વારમ વાર વાહન ચાલકો પાછળ દોડતો બચકા ભરે છે અને વિસ્તાર નીકળતા લોકો બચકા ભરે છે ત્યારે લોકો મા ભઈનો માહોલ છે ત્યારે સ્વાન પકડવા મા આવે તેવી માગે છે .