ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

લવ મેરેજ મુદ્દે રાજ્ય સરકાર એકશનમાં, પાટીદાર આગેવાનો સાથે બેઠક યોજાઈ

04:15 PM Dec 09, 2025 IST | Bhumika
Advertisement

ના.મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૌશિક વેકરિયા સહિતના આગેવાનો જોડાયા

Advertisement

ગુજરાતમાં ભાગીને થતા લગ્નોના મામલે કાયદાકીય ફેરફારોની માગણીને લઈને આજે ગાંધીનગરમાં એક મહત્ત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં DyCM હર્ષ સંઘવી અને ભાજપના નેતા કૌશિક વેકરિયા સાથે પાટીદાર સમાજના અગ્રણી આગેવાનો જોડાયા હતા. સમાજ દ્વારા મુખ્યત્વે લગ્નની નોંધણી કાયદામાં સુધારો કરવાની માગણી કરવામાં આવી છે.

આ માગણીનો મૂળ હેતુ એ છે કે યુવક-યુવતીઓ દ્વારા ભાગીને કરવામાં આવતા લગ્નના કિસ્સાઓમાં, માતા-પિતાની જાણ બહાર અને તેમની સંમતિ વિના થતા લગ્નો પર અંકુશ લાવી શકાય. સમાજની સ્પષ્ટ માગ છે કે લગ્નની નોંધણી વખતે યુવક અને યુવતીના માતા-પિતાની સહી ફરજિયાત બનાવવામાં આવે. આ કાયદાકીય ફેરફારથી સામાજિક સમસ્યાઓ ઘટશે અને પરિવારની સહમતી જળવાઈ રહેશે. સરકારે પાટીદાર સમાજના આગેવાનોની રજૂઆત ધ્યાનથી સાંભળી છે અને આ મુદ્દે ગંભીરતાથી વિચારણા કરવામાં આવશે તેમ જણાવ્યું છે. હવે જોવાનું એ રહે છે કે રાજ્ય સરકાર આ સંવેદનશીલ મુદ્દે કયા પ્રકારના કાયદાકીય પગલાં લે છે અને લગ્ન નોંધણીના કાયદામાં કેવા સુધારા લાવવામાં આવે છે.

Tags :
gujaratgujarat newsPatidar leaders
Advertisement
Next Article
Advertisement