For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરના તળાજા હાઈવે પર એસટી બસને નડ્યો અકસ્માત, કંડક્ટરનું ઘટનાસ્થળે જ મોત, 5 ઘાયલ

10:59 AM Jul 25, 2024 IST | Bhumika
ભાવનગરના તળાજા હાઈવે પર એસટી બસને નડ્યો અકસ્માત  કંડક્ટરનું ઘટનાસ્થળે જ મોત  5 ઘાયલ
Advertisement

રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ભાવનગરના તળાજામાંથી એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ભાવનગરના તળાજા તાલુકાના ત્રાપજ બંગલા પાસે એસટી બસનો અકસ્માત સર્જાયો છે. ગુજરાત એસટીની આ બસ વડોદરાથી દિવ જઈ રહી હતી. બસના ડ્રાયવરે અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસના કંડકટરનું ઘટના સ્થળે જ મોત થયું હતું. એસટીમાં સવાર પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાં હતાં.

મળતી માહિતી અનુસાર એસટી બસ રોડની સાઈડમાં બનાવેલા જાહેર ટોયલેટ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ડ્રાઈવરની બાજુની સાઈડનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો. આ ગંભીર અકસ્માતમાં બસના કંડકટરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

Advertisement

અકસ્માતમાં ઘાયલ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગર તેમજ તળાજા ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને વધુ તપસ હાથ ધરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement