બે મહિના પહેલાં માતાનું અવસાન થતા વિયોગમાં પુત્રનો એસિડ પી આપઘાત
- બાબરિયા કોલોનીમાં રહેતા યુવાને વહેલી સવારે ઘરેથી નીકળી કુરિયરની ઓફિસે જઇ પગલું ભરી લીધું
શહેરના બાબરીયા કોલોનીમાં રહેતા યુવાને બે મહિના પહેલા માતાનું અવસાન થતા તેના વિયોગમાં એસિડ પી આપઘાત કરી લીધો હતો.આ બનાવથી એકના એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ ઢેબર રોડ પર અટીકા ફાક પાસે આવેલી બાબરીયા કોલોની શેરી નં.પ માં રહેતા મુસ્તાકભાઇ અલ્લારખાભાઇ લીંગડીયા (ઉ.વ.42)નામના યુવાને 150ફુટ રીંગ રોડ પર ગોવર્ધન ચોકમાં આવેલી સોનું એન્ટરપ્રાઇઝ નામની ટ્રકોન કુરીયરની બ્રાન્ચ ઓફીસમાં ધુળેટીની વહેલી સવારે એસિડ પી લેતા તેમને ગંભીર હાલતમાં સારવાર મો ખસેડવામાં આવ્યા હતા પરંતું અહી તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજયું હતું.આ અંગે તાલુકા પોલીસમાં જાણ કરાતા પીએસઆઇ એલ.બી.ડિંડોર સહિતના સ્ટાફે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પીટલ ખસેડાયો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક મુસ્તાકભાઇ ત્રણ ભાઇમાં વચેટ અને તેમને સંતાનમાં એક પુત્ર છે. તેમના માતાને કેન્સરની બીમારી હોવાથી બે મહિના પહેલા માતાનું અવસાન થતાં મુસ્તાકભાઇ ગુમસુમ રહેતા હતા. દરમિયાન ધુળેટીના દિવસે વહેલી સવારે બધા સુતા હતા ત્યારે ઘરેથી નીકળી જઇ કુરીયરની ઓફીસમાં આ પગલું ભરી લીધું હતું.માતાના વિયોગમાં આપઘાત કરી લેતા એકના એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.