For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર રૂા.25માં બિલ્વ પૂજાનો પ્રારંભ

12:23 PM Jul 24, 2025 IST | Bhumika
સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર રૂા 25માં બિલ્વ પૂજાનો પ્રારંભ

સોમનાથ જયોતિર્લિંગ પર અર્પણ થનાર દરેક બિલ્વપત્રમાં હવે જોડાશે ભક્તોનું પુણ્ય: મહાદેવની બિલ્વ પૂજાનો પ્રસાદ, રૂદ્રાક્ષ અને ભસ્મ ભક્તોને ભારતીય પોસ્ટ મારફત ઘરે મળશે

Advertisement

શિવભક્તો માટે વર્ષના સૌથી મોટા ઉત્સવ સમા પવિત્ર શ્રાવણ માસ-2025 દરમિયાન, સોમનાથ મહાદેવ પર પ્રતિદિન લાખો બિલ્વપત્રો અર્પણ કરવામાં આવશે. આ 30 દિવસીય શિવોત્સવમાં દેશભરના ભક્તોને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને બિલ્વ પૂજા અર્પણ કરી પુણ્ય પ્રાપ્ત કરવાનો સુવર્ણ અવસર મળી રહ્યો છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ ફરી એકવાર માત્ર ₹25 બિલ્વ પૂજા સેવાનો પ્રારંભ કરી રહ્યું છે, જેના દ્વારા ભક્તો ચછ કોડ અથવા ટ્રસ્ટની વેબસાઇટ પરથી ઘરે બેઠા પૂજા નોંધાવી શકશે અને આ બિલ્વાર્ચન પુજારી દ્વારા સોમનાથ મહાદેવને અર્પણ કરવામાં આવશે. અગાઉ, શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી 2023, શ્રાવણ 2023, મહાશિવરાત્રી 2024, શ્રાવણ 2024, અને મહાશિવરાત્રી 2025 ના શુભ અવસરો પર આ વિશેષ બિલ્વપૂજા સેવા શરૂૂ કરવામાં આવી હતી.

આ પૂજાને ભક્તો તરફથી વિક્રમજનક પ્રતિસાદ મળ્યો હતો, જેમાં પાંચ ઉત્સવોમાં 7.53 લાખ જેટલા પરિવારોએ પૂજા નોંધાવી હતી. આ પૂજાના પ્રસાદ સ્વરૂૂપે રુદ્રાક્ષ, ભસ્મ અને બિલ્વપત્ર દેશભરમાં ભક્તોના નોંધાવેલ- સરનામા પર પોસ્ટ/કુરિયર મારફત મોકલવામાં આવ્યા હતા, જે ભક્તો માટે અત્યંત આનંદદાયક અનુભવ રહ્યો હતો.પવિત્ર શ્રાવણ માસમાં દેવાધિદેવ સોમનાથ મહાદેવને માત્ર ₹25 ની ન્યોછાવર રાશિથી બીલીપત્ર પૂજનના પુણ્યઅર્જનની સાથે-સાથે, શ્રી સોમનાથ ટ્રસ્ટ ભક્તો દ્વારા આપવામાં આવેલ સરનામા પર બિલ્વપૂજાના બીલીપત્ર, રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ સ્વરૂૂપે મોકલશે.

Advertisement

અગાઉ ભક્તોને મળેલ આ પ્રસાદથી તેઓ અત્યંત પ્રભાવિત થયા હતા અને મોટી સંખ્યામાં આભાર વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, કોઈ કારણસર પ્રસાદ ન મળ્યો હોય તેવા ભાવિકોને ફરી પોસ્ટ કરીને અથવા મંદિર કાર્યાલયેથી રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ આપવામાં આવ્યા હતા, જેનાથી યાત્રીઓ આ પૂજા સેવાથી અતિ પ્રસન્ન થયા હતા.શ્રાવણ-2025 માં સોમનાથ ટ્રસ્ટની આ અનોખી અને લોકપ્રિય ₹25 બિલ્વપૂજામાં ભાગ લેવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રાવણ પ્રારંભ તા. 25 જુલાઈ, 2025 થી શ્રાવણ માસની તા. 21 ઓગસ્ટ, 2025 સુધી ભક્તો આ બિલ્વ પૂજા નોંધાવી શકશે. આ અદ્ભુત બિલ્વ પૂજાનો લાભ લેવા માટે, ભક્તો શ્રી સોમનાથ ટ્રસ્ટની આધિકારિક વેબસાઇટ વિિંાંત://તજ્ઞળક્ષફવિં.જ્ઞલિ/ઇશહદફઙજ્ઞજ્ઞષફ/જવફિદફક્ષ ની મુલાકાત લઈ શકે છે અથવા આપેલ કયુઆર કોડ સ્કેન કરીને પૂજા બુક કરાવી શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement